જો તેમે 10 દિવસમાં ટેક્સ રિટર્ન ન ભર્યુ તો તમારે ડબલ ચૂકવણી કરવી પડશે.
10 દિવસમાં ટેક્સ રિટર્ન ન ભર્યુ તો તમને થશે નુકશાન
સમયસર ટેક્સ ન ભર્યુ તો તમારે ડબલ ચૂકવણી કરવી પડશે.
નવા નિયમ મુજબ જો તમે બે ગણા TDSથી બચવા માંગો છો તો...
સમયસર ટેક્સ ન ભર્યુ તો તમારે ડબલ ચૂકવણી કરવી પડશે.
ટેક્સપેયર્સ માટે બહું જરુરી સમાચાર છે. હવે તમારી પાસે ફક્ત 10 દિવસ બચ્યા છે. જો તેમે આ સમયમાં ટેક્સ રિટર્ન ન ભર્યુ તો તમારે ડબલ ચૂકવણી કરવી પડશે. એટલ કે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે ફક્ત 30 સુધીનો સમય છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આઈટીઆર ન ભરનારાના નિયમો કડક કર્યા છે.
નાણા વર્ષ 2020-21ના ITRની ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈથી વધારીને 30 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. નવા નિયમો મુજબ જે લોકોએ ITR ફાઈલ નથી કરી તેમને ટેક્સ કલેક્શન એટ સોર્સ પણ વધારે લાગશે. નવા નિયમો મુજબ 1 જૂલાઈ 2021થી પીનલ ટીડીએસ અને ટીસીએસના દર 10-20 ટકા રહેશે સામાન્ય રીતે 5થી 10 ટકા હોય છે.
જાણો TDSના નવા નિયમ
TDS ના નવા નિયમ મુજબ ઈન્કમ ટેક્સ એક્ટ 1961ના સેક્શન 206AB અંતર્ગત ટેક્સ કાયદા મુજબની જોગવાઈમાં બેગણા પ્રચલિત દરને બેગણામાં અથવા 5 ટકામાં જે પણ વધારે હશે તેના હિસાબથી ટીડીએસ લાગી શકે છે.
શુ કરી શકે ટેક્સપેયર્સ
નવા નિયમ મુજબ જો તમે બે ગણા TDSથી બચવા માંગો છો તો તમારી જે પણ ઈનકમ હોય ચાહે ટેક્સેબલ હોય કે નહીં પરંતુ તેનું રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. આ રીતે જો કોઈ વ્યક્તિ ગત વર્ષ અથવા આ વર્ષે 18 વર્ષનો થાય છે અને તેની પહેલા તેની ટેક્સેબલ ઈનકમ નહોંતી. તેમ છતાં તેની ઈનકમ ટેક્સ રિટર્ન ભરી શકાય છે. ઉલ્લેખનીય છે કે ઈનકમ ટેક્સ કાયદા મુજબ તમામ વ્યક્તિ ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરી શકે છે ચાહે તે એડલ્ટ હોય તે નહી.
આ લોકો પર નહીં લાગૂ થાય નિયમ
ઈનકમ ટેક્સના આ સેક્શન (Section 206AB) સેલરીડ ઈમ્પ્લોઈજ પર નહીં લાગૂ થાય. સાથે આ અનિવાસી વ્યક્તિઓ પર લાગૂ નહીં થાય. જો કે સરકારે નબળા અને મધ્યમ વર્ગને રાહત આપતા એક શરત છોડી દીધી છે. જેમીાં ટેક્સ પેયર્સે ગત 2 વર્ષ 50,000 થી વધારે ટીડીએસ અથવા ટીસીએસ નથી કપાયો તેમના પર જોગવાઈ લાગૂ નહીં થાય.