રાજ્યભરમાં તહેવારોને લઈને ST વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જન્માષ્ટીના તહેવારને લઈને લોકોને કોઈ સમસ્યા ન થાય તે માટે તંત્ર દ્વારા વધુ બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારની સીઝનમાં મુસાફરોનો વધારે ધસારો જોવા મળે છે.
જેને લઇને હવે ST વિભાગે 1100 વધુ બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. તહેવારને લઇને ST વિભાગને દોઢ કરોડ જેટલી આવકનો અંદાજ છે. તંત્ર દ્વારા સૌથી વધુ બસ સૌરાષ્ટ્રમાં દોડાવવામાં આવશે. ગત વર્ષે પણ ST વિભાગે તહેવારમાં વધુ બસ દોડાવી હતી.
આમ તહેવાર તેમજ જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં લઇને આ વર્ષે ST વિભાગે 1100 વધુ બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. હાલ સૌરાષ્ટમાંર સાતમ આઠમને લઇને લોકમેળાનું ઠેર-ઠેર આયોજન કરવામાં આવે છે.
જેને લઇને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓનો આ મેળામાં જઇ રહ્યાં હોય છે ત્યારે મુસાફરીમાં વધારાને ધ્યાનમાં લઇને એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તરફ 1100થી વધુ બસ દોડાવાવનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આમ સમગ્ર ગુજરાત હાલ કૃષ્ણમય ભકિતમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. શનિવારે રાજ્યભરમાં જન્માષ્ટમીના તહેવારની ઉજવણીને લઇને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા ખાતે જન્માષ્ટમીના ઉત્સવને લઇને ધામધૂમથી ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
દ્વારકા ખાતે અંદાજે એક લાખ ભક્તો ભક્તિમય રંગમાં રંગાશે. આમ તહેવારની સીઝનને ધ્યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા લોકોને કોઇ સમસ્ય ન થાય તે માટે વધારે બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે.