કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશની જામિયા મિલિયા, ઓક્સફેમ ઈન્ડિયા સહિત 12000 NGO ના FCRA લાયસન્સ રદ કરવામાં આવ્યા છે.
12 હજારથી વધારે NGO ના FCRA લાયસન્સ રદ
વિદેશથી આવતા ભંડોળ બંધ થઈ જશે
જામિયા મિલિયા અને IMA નો સમાવેશ
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશની કેટલીક જાણીતી NGO ના FCRA લાયસન્સ એટલે કે વિદેશી ભંડોળ કે દાન મેળવવા માટે (Foreign contribution Regulation Act) લાયસન્સ રિન્યુઅલ ક્લિયર ન કરવામાં આવતા તેઓ હવે વિદેશમાંથી આવતા ભંડોળ નહીં સ્વીકારી શકે.
ઘણા જાણીતા અને પ્રતિષ્ઠિત સંગઠનો સામેલ
જેમના રિન્યુઅલ નથી કરવામાં આવ્યા તેવા સંગઠનોમાં જામિયા મિલિયા, ઓક્સફેમ ઈન્ડિયા સહિત દેશના 12 હજારથી વધારે બિન સરકારી સંસ્થા (NGOs) ઓ સામેલ છે જેમનાના ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) લાઈસન્સ શુક્રવારે એટલે 31 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ ગયા છે. હવે આ સંસ્થાઓ વિદેશમાંથી મળતા ભંડોળ અથવા દાન મેળવી શકશે નહીં.
રિન્યુઅલ માટે અરજી જ કરી નથી
જો કે આ મામલે ગૃહમંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે 6 હજારથી વધારે NGOs પૈકી મોટાભાગની સંસ્થાઓ દ્વારા લાઈસન્સ રિન્યુઅલ માટે અરજી કરવામાં આવી ન હતી. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ સંસ્થાઓને 31 ડિસેમ્બર અગાઉ FCRA રિન્યુઅલ માટે અરજી કરવા રિમાઈન્ડર મોકલવામાં આવ્યા હતા, પણ અનેક NGOએ આ પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કર્યું નથી. આ સંજોગોમાં સંગઠનોને વિદેશમાંથી ફંન્ડિંગની મંજૂરી આપવામાં આવી શકાય નહીં.
દેશમાં ફક્ત 16, 829 NGO પાસે લાઈસન્સ છે
દેશમાં અત્યાર સુધીમાં 16 હજાર 829 NGO રહી છે કે જેની પાસે FCRA લાઈસન્સ છે, જેમને 31 માર્ચ 2022 સુધી જ રિન્યુઅલ કરવામાં આવ્યા છે. FCRA હેઠળ કુલ 22,762 બિન સરકારી સંસ્થા રજીસ્ટર્ડ છે અને આ પૈકી અત્યાર સુધી 6500ની એપ્લિકેશન રિન્યુઅલ માટે આગળ વધારવામાં આવી છે.
ઇંડિયન મેડિકલ એસોસિએશન પણ સામેલ
FCRA લાઈન્સ ગુમાવનારી સંસ્થાઓમાં ઓક્સફેમ ઈન્ડિયા, જામિયા મિલિયા ઈસ્લામિયા, અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન કે લેપ્રોસી મિશન સહિત કુલ 12 હજારથી વધારે જાણી અજાણી NGO સામેલ છે.
આ ઉપરાંત ટ્યુબરકુલોસિસ એસોસિએશન ઓફ ઈન્ડિયા, ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ અને ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટરની યાદીનો પણ સમાવેશ થાય છે.
હેલ્થ અને અકેડેમિક ઈન્સ્ટિટ્યૂટસ પણ સામેલ
IIT દિલ્હી, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલ ફાઉન્ડેશન, લેડી શ્રી રામ કોલેજ ફોર વુમન, દિલ્હી કોલેજ ઓફ એન્જીનિયરિંગ, નેહરું સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, ઈમૈન્યુઅલ હોસ્પિટલ એસોસિએશન કે જે સમગ્ર ભારતમાં એક ડઝન કરતા વધારે હોસ્પિટલ ચલાવે છે, વિશ્વ ધર્માયતન, મહર્ષિ આયુર્વેદ પ્રતિષ્ઠાન, નેશનલ ફેડરેશન ઓફ ફિશરમેન કોઓપરેટિવ્સ લિમિટેડનો પણ સમાવેશ થાય છે.