દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે ઘણીવાર ફંડ મુદ્દે આરોપો લાગતા આવ્યા છે ત્યારે પૂર્વ સૈનિકે આ મુદ્દે જવાબ આપ્યો છે અને કહ્યું કે ફંડ પાક.થી જ આવ્યું છે.
ગૂરૂનાનક સાહેબનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો: પૂર્વ સૈનિક
ગૂરૂનાનક સાહેબને બાળપણમાં પિતાએ રૂ.20 સામાન લેવા માટે આપ્યા હતા: પૂર્વ સૈનિક
ગુરૂનાનક સાહેબે રૂ.20નું ગરીબોને કરાવી દીધું હતું ભોજનઃ પૂર્વ સૈનિક
ખેડૂતો આંદોલનમાં પાકિસ્તાની ફંડ માામલે ખુલાસો
દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનની વચ્ચે ઘણીવાર ભાજપ નેતાઓએ ખેડૂતો પર ગંભીર આરોપો લગાવ્યા છે અને તેને લઈને ઘણો વિવાદ પણ થયો છે. નેતાઓ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે જે આંદોલન કરી રહ્યા છે તે ખેડૂત જ નથી અને ખાલિસ્તાનને સપોર્ટ કરે છે. ઘણીવાર એવા પણ આરોપ લગાવવામાં આવે છે કે પાકિસ્તાનથી આંદોલનને ફંડ મળી રહ્યું છે.
આંદોલનમાં જોડાયેલા પૂર્વ સૈનિકોનો સ્વીકાર
નેતાઓ દ્વારા લાગી રહેલા આ આરોપો પર પૂર્વ સૈનિકે અલગ જ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે આ ફંડ તો આજથી નહીં પાંચસો વર્ષ પહેલા ગુરુનાનક સાહેબે જ વીસ રૂપિયા આપીને શરૂઆત કરાવી હતી. ગુરુનાનકનો જન્મ પાકિસ્તાનમાં જ થયો હતો અને પાકિસ્તાનમાં જ તેમણે બધા કામો કર્યા છે, ગુરુનાનકે પાંચસો વર્ષ પહેલા માત્ર 20 રૂપિયાથી લંગર અને સેવા કાર્યની શરૂઆત કરાવી હતી અને શીખોની આસ્થા છે કે તે 20 રૂપિયાથી જ આજદિન સુધી આ બધા કાર્યો પૂરા કરવામાં આવી રહ્યા છે.
શીખોની આસ્થા : ગુરુનાનકના એ જ ફંડથી આજદિન સુધી ચાલી રહ્યા છે લંગર
પૂર્વ સૈનિકે કહ્યું કે ''કોઈને પણ જ્યારે ઉંધા રસ્તે જ જવું હોય તો કંઈ પણ બોલી શકે છે. જે લોકો બોલી રહ્યા છે કે ફંડ આવી રહ્યા છે તે જાણી લે કે આજથી પાંચસો વર્ષ પહેલા બાબા ગુરુનાનક દેવ આવ્યા હતા અને આ જ જમીન પર તેમણે હળ ચલાવ્યું હતું.''
તેમણે કહ્યું કે ''અમારા શીખોના પહેલા ગુરુને તેમના પિતાજીએ 20 રૂપિયા આપ્યા હતા કે આ ચીજવસ્તુ ખરીદીને લાવો પણ તેમણે ખરીદીની જગ્યાએ સાધુ મહારાજાઓને ભોજન કરાવી દીધું. ત્યારથી જ એ વીસ રૂપિયા અમારા માટે વીસ કરોડ પણ છે અને વીસ લાખ પણ છે. શીખોનું લંગર જે ત્યારથી શરુ થયું તે આજ સુધી ખતમ નથી થઇ રહ્યું.''
જોનારની નજર પર જાય તેને તમે ફંડ સમજો કે પછી શિક્ષા
તેમણે કહ્યું કે ''જેને જે કહેવું હોય એ કહે પણ અમારા જે પહેલા ગુરુ રહ્યા તે પાકિસ્તાનમાં જ રહ્યા અને પાકિસ્તાનમાં જ તેમણે બધા કામો કર્યા અને જીવન પાકિસ્તાનમાં જ વિતાવ્યું. તો હવે તેને તમે ફંડ સમજી લો કે પછી તેને અમારા માટે એક શિક્ષા સમજી લો. હવે એ તો જોનારની નજર પર જાય છે કે તેને તમે ફંડના રૂપે જોઈ લો કે પછી તેને લંગરના રૂપે જોઈલો. '' પૂર્વ સૈનિકે વધુમાં કહ્યું આ બધું કહેવાનો મતલબ એ છે કે તે વીસ રૂપિયાની પરંપરા ચાલી ગઈ જેને અમે સ્વીકારી લીધી. આજે તમે જોઈ શકો છો કૉ આજે કાજુ બદામનાં પણ લંગર લાગી રહ્યા છે. આ બધું તે વીસ રૂપિયાની જે પરંપરા છે તેનાથી જ ચાલી રહ્યું છે.
નોંધનીય છે કે તેઓ આંદોલનમાં એનજીઓ દ્વારા ખેડૂતોની મદદ કરી રહ્યા છે. ખેડૂતો માટે લંગરથી લઈને એમ્બ્યુલન્સ સુધીની વ્યવસ્થા કરવામાં આવે છે અને વિદેશમાં રહેતા લોકો પણ તેમાં ફંડ આપે છે.