ખેડૂત આંદોલનને તેજ કરવા માટે આજે સોનીપત ખાતે ખેડૂતો દ્વારા આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે.
આે સોનીપત ખાતે ખેડૂત સંગઠનની બેઠક
ચક્કાજામ પછી હવે આગળની રણનીતિ માટે વિચાર-વિમર્શ
સરકાર પર દબાણ લાવવા તેમજ આંદોલનને તેજ કરવાની રણનીતિ તૈયાર કરાશે
ચક્કાજામ પછી હવે આગળની રણનીતિ તૈયાર કરવા માટે ખેડૂત સંગઠનની આજે સોનીપત બેઠકમાં યોજાશે. જેમાં સરકાર પર દબાણ લાવવા તેમજ આંદોલનને તેજ કરવાની રણનીતિ બનાવામાં આવશે. આ સાથે જ પૂરા દેશમાં એક સાથે આંદોલન ઉભુ કરવાને લઇને વિચાર-વિમર્શ કરવામાં આવશે. જ્યારે બીજી તરફ રવિવારના રોજ બહાદુરગઢના ટીકરી સરહદ પર બે અને ઢાંસા બોર્ડર પર ખેડૂતનું મૃત્યું થયું. ટીકરી બોર્ડર પર એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી.
બહાદુર ગઢના ટીકરી બોર્ડરની નજીક જીંદના ખેડૂતે પાર્કમાં ઝાડ પર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. સરહદ વિસ્તારમાં જ પંજાબના બે ખેડૂતોનું હાર્ટ એટેક આવવાથી મૃત્યું થયું. જેમાંથી એક ખેડૂત પંજાબના મોગ જિલ્લ્લાનો તો બીજો ખેડૂત સંગરુરનો નિવાસી હતો. જ્યારે ઢાંસ સરહદ પર જજ્જર જિલ્લાના ગામ ગુઢાના ખેડૂતનું હાર્ટ એટેકથી મૃત્યું થયું હતું.
રેવાડીના ખેડા સરહદ પર ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા માટે રાજસ્થાનના ઘણા જિલ્લામાંથી ખેડૂત પહોંચ્યા હતા. જજ્ઝરમાં રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ પણ કહ્યું ખેડૂતોનો અવાજ રાજ્યસભામાં ઉઠાવીશું.
ઢાંસા તેમજ ટીકરી બોર્ડર પર ખેૂડૂત તેમજ ખાપોના પ્રતિનિધિ પહોંચ્યા. જીંદમાં ખટકડ તેમજ બદ્દોવાલ ટોલપ્લાઝ પર ધરણા યથાવત છે. જુલાનાથી મહિલાઓએ દિલ્હી માટે કૂચ કરી. સીટૂ કાર્યકર્તાઓએ ઉચાનામાં ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાના કાર્યાલયનો ઘેરાવ કર્યો.
હરિયાણામાં મળી હતી ખેડૂતોની મહાપંચાયત
ખેડૂતોની મહાપંચાયતમાં કિસાન મોરચાના નેતાએ જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીના પ્રકરણ પછી સરકારે દમનકારી નીતિઓ અપનાવી છે. દેશના ખેડૂતો એ આંદોલન દ્વારા ઇતિહાસ લખ્યો છે. સંયુક્ત કિસાન મોરચાના કારોબારી સદસ્યની મહાપંચાયતને સંબોધન કરતાં ખેડૂત નેતા દર્શનપાલસિંહે જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીના પ્રકરણ બાદ સરકારે દમનકારી નીતિઓ અપનાવી છે પરંતુ ખેડૂત સંગઠનો અને ખાપની મદદથી હવે ખેડૂત આંદોલન વધુ મજબૂત બન્યું છે.
આ પાંચ દરખાસ્તો પસાર થઈ હતી
ખેડૂતો ની મહાપંચાયતમાં પાંચ ઠરાવોને પસાર કરવામાં આવ્યા હતા.
1. કૃષિ કાયદો પાછો ખેંચવો જોઇએ અને MSP ગેરંટી નક્કી કરવી જોઈએ
2. ખેડૂતો વિરુદ્ધ દાખલ ખોટા કેસોને રદ કરવા જોઈએ.
3. દિલ્હીની પરેડમાં ધરપકડ કરાયેલા યુવક અને ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે
4. દિલ્હીની હિંસામાં ઝડપાયેલા ખેડૂતોના જે વાહનોને કબજે કરાયા છે તેને મુક્ત કરવા જોઈએ.
5. એનએચ -152 ડી માટે હસ્તગત કરેલી જમીનનું ન્યાયી વળતર મેળવવા ખેડૂતોને