વાયરોલોજીસ્ટ કાંગે કહ્યું કે મે મહિનાના અંતમાં કોરોના ખતમ થશે. લોકડાઉન મદદ કરશે અને આજથી 2-3 અઠવાડિયા બાદ કેસ ઘટશે.
કોરોનાને લઈને આવ્યા સારા સમાચાર
કાંગે કહ્યું મે મહિનાના અંતમાં ખતમ થશે કોરોના
લોકડાઉનની મદદથી મળશે મોટી રાહત
કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યા છે. વાયરોલોજિસ્ટ ડોક્ટર ગગનદીપ કાંગે શક્યતા દેખાડી છે કે મે મહિનાના મધ્યમાં કે પછી મહિનાના અંતમાં કોરોનાની સ્થિતિની ગંભીરતા ઘટી શકે છે. આ સમયે કોરોનાના વિરોધમાં વેક્સીનની અસર પર પણ ચર્ચા કરાઈ છે. ડોક્ટર કાંગે લોકડાઉનનું સમર્થન કર્યું છે.
વાયરોલોજિસ્ટઃ મે મહિનાના અંતમાં ખતમ થઈ શકે છે કોરોના
ડોક્ટર કાંગે મે મહિનાના મધ્ય કે અંત સુધીની સ્થિતિ સારી થવાની શક્યતા જોવા મળી રહી છે. આ સમયે તેઓએ ભારતમાં લગાવાયેલી વેક્સીનના વખાણ કર્યા છે. તેઓએ કહ્યું કે વેક્સીન બીમારી અને ગંભીર બીમારીના વિરોધમાં ઘણી સુરક્ષિત છે. સંક્રમણના વિરોધમાં પણ સુરક્ષા આપી છે. તેઓએ વેક્સીન લગાવવાનું સમર્થન કર્યું છે. ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સીનનો ઉપયોગ થઈ રહ્યો છે. આવનારા સમયમાં વેક્સીન આ વર્ગમાં સામેલ થશે.
વેક્સીન સંક્રમણ પર કામ કરી રહી છે
તેઓએ કહ્યું કે જો તમે કોરોના સંક્રમણથી સુરક્ષિત છો તો સાથે જ તેને અન્ય વ્યક્તિને આપશે નહીં. આ વેક્સીન ગંભીર બીમારી અને મોતની સામે લડી રહી છે. તેઓએ કહ્યું કે ભલે સંક્રમણથી ન બચો પણ સંક્રમણને ઓછું કરી શકે છે. તેઓએ કહ્યું કે ટેસ્ટિંગમાં ઘટાડો થવાની સાથે કેસ વધી રહ્યા છે.
લોકડાઉન કરશે મદદ
લોકડાઉનને લઈને તેઓએ કહ્યું કે લોકડાઉન મદદ કરશે. જો આજથી 2-3 અઠવાડિયાના કેસ ઘટાડવા ઈચ્છીએ તો લોકડાઉન જરૂરી છે. આ વાતને નક્કી કરી લેવી કે 3 અઠવાડિયામાં કેસ ઘટશે. તેનાથી લોકો સુરક્ષિત રહેશે અને સાથે માનવ અધિકારોનું ઉલ્લંઘન પણ થશે નહીં. ભોજન અને અન્ય તમામ સુવિધાઓ મળશે. ડોક્ટર કાંગ પંજાબ અને આંધ્રપ્રદેશ સરકારની મહામારીને રોકવા માટે સલાહકારની ભૂમિકા નિભાવી રહ્યા છે.