ભારતમાં હાલમાં મહારાષ્ટ્ર એવું રાજ્ય છે જ્યાં લોકડાઉનની સ્થિતિ આવી છે. સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવા છતાં પણ અહીં કેસ વધી રહ્યા છે. વેક્સીન જ કારગર ઉપાય છે.
મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે કેસ
કોરોનાની બીજી લહેર રોકવામાં લોકડાઉન કારગર નહીં
લોકડાઉનને બદલે વેક્સીન મહામારીનો અકસીર ઉપાય
માર્ચ મહિનામાં કોરોનાના ચિંતાજનક રીતે વધી રહેલા કેસની સાથે ફરી એકવાર લોકડાઉનની સ્થિતિ આવી છે. દેશમાં કોરોનાથી સર્વાધિક પ્રભાવિત મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં સામાન્ય લોકડાઉન કરાયું છે. શુક્રવારે કોરોના બેકાબૂ થતાં સ્થિતિની સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કોરોનાની એવી જ સ્થિતિ રહેશે તો લોકડાઉન માટે રાહ જોવાશે નહીં. લોકડાઉનની પ્રભાવશીલતાને લઈને પહેલા પણ આકલન કરાયું છે. હવે જ્યારે ફરી લોકડાઉનની સ્થિતિ આવી છે ત્યારે જોવાનું રહે છે કે તે કેટલું પ્રભાવી છે.
महाराष्ट्र: पुणे जिले में पिछले 24 घंटों में 9,086 नए #COVID19 मामले, 6,000 रिकवरी और 58 मौतें दर्ज़ की गई।
कुल मामले: 5,51,508
कुल रिकवरी: 4,73,714
मृत्यु: 10,097
सक्रिय मामले: 67,866
મહામારીનો પીક ટાળવા માટે લગાયું હતું લોકડાઉન
એક રિપોર્ટ અનુસાર ગયા વર્ષે પણ જ્યારે લોકડાઉન કોરોના કેસને રોકવાને માટે મહામારીને રોકવા લગાવાયું હતું. આંકડા કહે છે કે ગયા માર્ચમાં લોકડાઉન લગાવ્યા બાદ પણ કોરોના ઝડપથી વધી રહ્યો હતો. સરકારના રિપોર્ટમાં કહેવાયુ છે કે લોકડાઉન ન લગાવ્યું હોત તો સંક્રમિતોની સંખ્યા વધી હોત. એટલે કે મહામારીનો જે પીક સપ્ટેમ્બરમાં આવ્યો તે પહેલા આવ્યો હોત. સ્વાસ્થ્ય વ્યવસ્થા સંપૂર્ણ રીતે તૈયાર ન હતી એટલે કે લોકડાઉનને આપણે સમય આપ્યો હતો.
લોકડાઉન મહામારીનો પીક ટાળવાનો ઉપાય
એક્સપર્ટ્સનું માનવું છે કે મહામારી રોકવા માટે લોકડાઉન પ્રભાવી રીત છે. તે ગયા વર્ષે લાગૂ કરાયું હતું. આ સમયે મહામારીનો પીક ટાળવાના સરકારી પ્રયાસો સફળ રહ્યા હતા પણ હવે સ્થિતિ અલગ છે. કેસ પહેલાં 10000 હતી હવે તે 3 મહિનામાં 80000 થયા છે. આ સમયે લગભગ એક મહિના અને 10 દિવસનો સમય લાગ્યો છે. એક્સપર્ટ્સ લોકડાઉનની સાથે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને આઈસોલેશનના ફોર્મ્યુલાને મહામારી રોકવા માટે કારગર માને છે. આ કારણ છે કે દુનિયાની સરકારોએ આ રીત અપનાવી છે.
SBIના રિસર્ચે પણ લોકડાઉનને બદલે વેક્સીનને ગણાવી છે અસરદાર
આ પહેલા પણ SBIના ઈકોનોમિક રિસર્ચ ડિપાર્ટમેન્ટે કહ્યું કે લોકડાઉનને બદલે વેક્સીનેશનની મદદથી કોરોનાની અન્ય લહેરને રોકી શકાય છે. રિપોર્ટમાં કહેવાયું છે કે 'Second wave of infections: The beginning of the end?'લોકડાઉન અને પ્રતિબંધ હવે કોરોનાના પ્રસારને રોકવામાં પ્રભાવી રહ્યા નથી. આ કારણે વેક્સીનની મદદથી તેની પર નિયંત્રણ લાવી શકાય છે.