ભારત સાથેના સરહદી તણાવની વચ્ચે ચીને પૂર્વી લદ્દાખમાં LaC પરથી 10,000 જવાનોને પરત ખેંચ્યા છે. ચીની સૈનિકો ભારતીય સરહદ નજીક 200 કિલોમીટરની ત્રિજ્યાથી પાછા હઠી ગઈ છે. એવું મનાઈ રહ્યું છે કે લદાખમાં તાપમાન શૂન્યથી નીચે જવાણા કારણે ચીને આ પગલાં લીધાં છે. અત્યંત ઠંડી અને મુશ્કેલ પરિસ્થિતિઓને કારણે ચીની સૈનિકો હવે પાછા હઠી ગયા છે.
સતત શૂન્યની નીચે તાપમાન અને શિયાળો હોય શકે છે કારણ
અત્યંત ઠંડી અને મુશ્કેલ પરિસ્થિતિઓને કારણે, ચીની સૈનિકો સરહદથી પીછેહઠ કરી ચૂક્યા છે.પૂર્વી લદ્દાખમાં ચીને આશરે 10,000 સૈનિકો પરત ખેંચ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પરંપરાગત રીતે જ્યાં ચીની સૈનિકો લદ્દાખમાં ભારતીય સરહદ નજીક તાલીમ લેતા હતા, તે સ્થળ હાલમાં ખાલી છે.
ચીને 10 હજાર સૈનિકો હઠાવ્યાં
હકીકતમાં, ગયા વર્ષે માર્ચ-એપ્રિલમાં જ્યારે ભારત સાથે તણાવ શરૂ થયો હતો, ત્યારે ચીને સરહદ 50 હજારથી વધુ સૈનિકો તૈનાત કરી દીધા હતા, ત્યારથી આ ચીની સૈનિકો લદ્દાખની LaC પર તૈનાત હતા. જ્યારે આખું વિશ્વ કોરોના રોગચાળા મહામારીમાં ત્રસ્ત હતું તે દરમિયાન આ ચીની સૈનિકો લદ્દાખના પર્વતીય વિસ્તારોમાં તૈનાત હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય સરહદથી આશરે 200 કિ.મી.ના ત્રિજ્યામાંથી ચીની સૈનિકો પરત ખેંચવામાં આવી છે. આ કદાચ ઠંડા શિયાળા અને બીજી પ્રાદેશિક વાતાવરણીય મુશ્કેલીઓને કારણે છે. કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખીને ચીને પોતાના સૈનિકોને પાછા ખેંચી લીધા છે.
બરફમાં સરહદ પર ભારતીય સૈનિકો
જ્યારે ચીનને તેના સૈનિકો હટાવવાની ફરજ પડી છે ત્યારે ભારતીય સેના હજુ પણ આ વાતાવરણમાં સીમા પર અડગ રહીને તૈનાત છે જેથી કરીને ચીન બર્ફીલા વાતાવરણનો ગેરલાભ લઈને કોઈ ઘૂસણખોરી કે દુ:સાહસ ન કરે. શૂન્યથી કેટલાક ડિગ્રી નીચે તાપમાનમાં પણ ભારતીય સૈનિકો લદાખમાં ચીનની સરહદ પર ઉભા છે પરંતુ ભારત તેના સૈનિકો માટે ખૂબ જ ગતિથી નવા આવાસ અને ટેન્ટ જેવી સુવિધાઓ વધારી રહ્યું છે.