પૂર્વીય દરિયા કિનારા પર યાસ વાવાઝોડાના ખતરાને પગલે પ્રધાનમંત્રી મોદીએ રવિવારે અધિકારીઓ અને મંત્રીઓ સાથે હાઈ લેવલ બેઠક કરી.
26 મેએ બંગાળ અને ઓડિશા પર યાસ વાવાઝોડાનો ખતરો
મોદીએ રવિવારે અધિકારીઓ અને મંત્રીઓ સાથે હાઈ લેવલ બેઠક કરી
લોકોને સમયસર સુરક્ષિત સ્થળોએ પહોંચાડી દેવાનો આદેશ
બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને દરિયા કિનારે રહેતા લોકોને સમયસર સુરક્ષિત સ્થળોએ પહોંચાડી દેવાનો આદેશ આપ્યો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વીજળી અને ટેલિફોન નેટવર્ક પરના કાપમાં ઘટાડો કરવામાં આવે. પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને એવા દિશાનિર્દેશો તૈયાર કરવાનું જણાવ્યું કે જેમાં લોકોએ વાવાઝોડા દરમિયાન લોકોએ શું કરવું અને શું ન કરવું. આ તમામ દિશાનિર્દેશો સ્થાનિક ભાષામાં બહાર પાડવાનો પ અધિકારીઓને આદેશ છે.
સમીક્ષા બેઠકને અધિકારીઓને આ આદેશ
સમીક્ષા બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલય વતી કહેવામાં આવ્યું કે એનડીઆરએફે વાવાઝોડા યાસને પહોંચી વળવા 46 ટીમોને પહેલેથી તૈયાર રાખી છે. 13 ટીમો આજે હવાઈ માર્ગેથી સંભવિત પ્રભાવિત વિસ્તારમાં રવાના થઈ રહી છે.
વાવાઝોડાને પહોંચી વળવા આ છે તૈયારી
બેઠકમાં અધિકારીઓએ પ્રધાનમંત્રીને જણાવ્યું કે કેબિનેટ સચિવ 22 મે ના રોજ નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટીએ મીટિંગ કરી હતી તેમાં તમામ તટીય રાજ્યોના પ્રમુખ સચિવ તથા સંબંધિત મંત્રાલય અને એજન્સીઓ સામેલ હતી. પ્રધાનમંત્રીને કહેવાયું કે ગૃહ મંત્રાલય પણ 24 કલાક સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યું છે. મંત્રાલય સતત સંબંધિત રાજ્ય સરકારો તથા કેન્દ્રીય એજન્સીઓના સંપર્કમાં છે. તેની સાથે ભારતીય કોસ્ડ ગાર્ડ અને નેવીએ પણ રાહત, શોધ,બચાવ અભિયચાન માટે જહાજો, હેલિકોપ્ટરોને તહેનાત કર્યાં છે.
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ પણ નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટીની બેઠક કરીને તૈયારીની સમીક્ષા કરી હતી. અગમચેતીના પગલારુપે ઉત્તર રેલવેએ ઓડિશાના ભુવનેશ્વર અને પુરીથી જતી આવતી લગભગ એક ડઝન જેટલી ટ્રેનો હંગામી ધોરણે કેન્સલ કરી નાખી છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી તથા ઓડિશાના સીએમ નવીન પટનાયકે પણ સ્થિતિની સમીક્ષા કરીને અધિકારીઓને જરુરી આદેશો આપ્યા હતા.