બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Enigmatic tremors in vadi village of Valsad: 500 meters long crack in the ground
Malay
Last Updated: 09:44 AM, 16 September 2023
Valsad News: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાડી ગામમાં છેલ્લા કેટલાક દિવસથી ભેદી આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. આંચકાઓના કારણે ગામની જમીનમાં 500 મીટર કરતા લાંબી તિરાડ પડતા તંત્રની ટીમો પણ વાડી ગામ ખાતે દોડી આવી છે અને કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. જોકે, અત્યાર સુધી એ જાણી શકાયું નથી કે આ ભૂકંપના આંચકા છે કે અન્ય કોઈ કારણસર આંચકા આવી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી અનુભવાઇ રહ્યા છે ભેદી આંચકા
આ અંગે મળતી માહિતી અનુસાર, કપરાડા તાલુકાના છેવાડે આવેલા વાડી ગામમાં છેલ્લા એક અઠવાડિયા કરતા વધારે સમયથી આંચકા અનુવાય રહ્યા છે. આંચકાના કારણે ગામની જમીનોમાં તિરાડો પડી ગઈ છે. ગામમાં એક જગ્યાએ તો આંચકાના કારણે 500 મીટરથી વધુ લાંબી તિરાડ પડી ગઈ છે. ભેદી આંચકાઓ અને જમીનમાં પડી રહેલી તિરાડોથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ટીમોએ તપાસ હાથ ધરી
તો આ અંગેની જાણ તાલુકામાં અને ડિઝાસ્ટર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ટીમો પણ દોડી આવી છે. ગતરોજ સ્થાનિક તંત્રની ટીમ વાડી ગામ ખાતે પહોંચી હતી અને કુજવેરી ફરિયામાં જમીનોમાં પડેલી તિરાડનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, હજુ સુધી આની પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. હાલ તો તંત્ર દ્વારા આ આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે, તેનું કારણ જાણવા પ્રયાસો હાથ ધરાયા છે.
સ્થાનિકોમાં ભયનો માહોલ
અત્રે ઉલ્લખનીય છે કે, વલસાડના વાડી ગામના કુજવેરી ફરિયામાં એક અઠવાડિયા કરતા વધુ સમયથી ભેદી આંચકા અનુભવાતા ભેદી આંચકાઓથી જમીનમાં તિરાડો પડતા વાડી ગામના લોકોમાં ભયનો માહોલ છે. કપરાડા તાલુકાની ટીમો ગામમાં નિરીક્ષણ કરી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army