અમદાવાદમાં હાર બાદ ઈંગ્લેન્ડ ભારત સામે ચાર મેચની સિરીઝમાં 1-2થી પાછળ છે. તે હારની સાથે ઈંગ્લેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રેસમાંથી બહાર થઈ ગઈ છે. કોઈ પણ ટીમ માટે ભારતનો પ્રવાસ કરવો મુશ્કેલ હોય છે અને ઈંગ્લેન્ડને પણ તે અનુભવ થઈ રહ્યો છે.
બેટ્સમેન માટે સરળ હશે ચોથી ટેસ્ટની પીચ
હાઈ સ્કોરિંગ મેચ થઈ શકે છે ચોથી ટેસ્ટ
ભારત 2-1થી સિરીઝમાં આગળ છે
હાઈ સ્કોરિંગ મેચ હશે
ઈંગ્લેન્ડને ચોથી ટેસ્ટમાં પણ મુશ્કેલી પડી શકે તેવાં એંધાણ છે. કેમકે અમદાવાદમાં યોજાનાર ચોથી ટેસ્ટ માટે બીસીસીઆઈ તરફથી જે અપડેટ આવી છે તે ઈંગ્લેન્ડ માટે રાહતના સમાચાર નથી. બીસીસીઆઈનાં અધિકારી મુજબ ચોથી ટેસ્ટ માટેની પીચ બેટ્સમેન માટે મદદગાર રહેશે. જેથી આશા છે કે ચોથી ટેસ્ટ હાઈ સ્કોરિંગ મેચ બનશે.
ટી-20 વર્લ્ડકપની મેચો પણ રમાઈ શકે છે
ઉલ્લેખનીય છે કે ત્રીજી ટેસ્ટ બાદ અમદાવાદની પીચ પર સવાલ ઉઠી રહ્યાં છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ ફક્ત બે દિવસોમાં ખતમ થઈ ગઈ હતી. બીસીસીઆઈનું કહેવુ છે કે, અમદાવાદમાં જ આગામી ટી-20 મેચો રમાશે અને સાથે આઈપીએલની મેચોનું આયોજન પણ થશે અને આગામી ટી-20 વર્લ્ડકપની મેચો પણ રમાઈ શકે તેવી શક્યતા છે.
ભારતની જગ્યા WTC પાક્કી
બીસીસીઆઈનાં અધિકારીઓએ કહ્યું કે ચોથી ટેસ્ટ માટેની પીચ સારી હશે અને બેટ્સમેનને ત્યાં રન બનાવવામાં સરળતા રહેશે અને જેથી તે મેચ હાઈ સ્કોરિંગ બની શકે છે. 4 માર્ચથી ભારત અને ઈંગ્લેન્ડની ચોથી ટેસ્ટ મેચ શરુ થશે. જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતે તે મેચ ફક્ત ડ્રો કરાવવાની રહેશે. ડ્રો સાથે ભારત આ ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી લેશે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેની જગ્યા પાક્કી કરી લેશે.
બુમરાહ નહી રમે ચોથી ટેસ્ટ
ચોથી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં એક બદલાવ પણ થઈ શકે છે. ફાસ્ટ બોલર બુમરાહ તેનાં અંગત કારણોસર અમદાવાદની ટેસ્ટમાં રમી નહીં શકે, તેની જગ્યાએ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને જગ્યા આપવામાં આવી શકે છે.