અમદાવાદના જમાલપુરમાં છરીના ઘા ઝીંકી વધુ એક યુવાનની હત્યા કરવામાં આવતા પોલીસ દોડતી થઇ છે.આ મામલે પોલીસે આરોપીને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના જમાલપુરમાં યુવકની હત્યા
શોએબ અને સલીમ વોરા વચ્ચે થયો હતો ઝઘડો
છરીના ઘા મારી શોએબની હત્યા
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં સગાઈ તોડી નાખ્યાની અદાવતનો ખાર રાખી યુવક યુવતીના ઘરે પહોંચ્યો હતો. જ્યાં બોલા ચાલી ઉગ્ર બનતા ઝઘડો થયો હતો આ દરમિયાન યુવતીના પિતાએ છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
યુવતીના પિતાએ કરી યુવાનની હત્યા
જમાલપુર વિસ્તારમાં આવેલ કાચની મસ્જિદ પાસે ગત મોડી રાત્રે યુવાનની લોથ ઢળી હતી. જમાલપુર વિસ્તારમાં આવેલી જુના ડુંગરાપુરા ખાતે રહેતા શોએબ અને સલીમ વોરા વચ્ચે બોલા ચાલી અને ઝઘડો થયો હતો. આ દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા સલીમ વોરાએ તેની પાસે રહેલ છરી વડે શોએબને ત્રણથી ચાર છરીના ઘા પેટમાં, છાતીમાં તેમજ પીઠના ભાગે મારી દેતા શોએબ ઢળી પડ્યો હતો. આ દરમિયાન તેને ગંભીર હાલાતમાં સારવાર સાર્થે વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજતા બનાવા હત્યામાં પલટાયો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.
ગાયકવાડ હવેલી પોલીસે હત્યાનો ગુન્હો નોંધ્યો
પોલીસની પ્રથમમિક તપાસ દરમિયાન સામે આવ્યું કે મૃતક શોએબની સગાઈ આરોપી સલીમ વોરાની દીકરી સાથે થઈ હતી. જો કે એક વર્ષ અગાઉ કોઈ કારણોસર સગાઈ તોડી નાખવામાં આવી હતી. જેને લઈને શોએબ યુવતીના ઘરે ગયો હતો. જ્યાં બોલાચાલી અને મારામારી થતા સલીમ વોરાએ સોયબને એક પછી એક છરીના ઘા મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જે અંગેની જાણ તેણે તેના માતાને કરતા તેના માતા પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને શોએબને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલમાં ગાયકવાડ હવેલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી અગાળ ધપાવી છે.