ઇટાડા પ્રાથમિક શાળાથી VTVનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, યુવરાજસિંહે આ સ્કૂલના શિક્ષક દિલીપ પટેલ પર લગાવ્યા છે ગંભીર આરોપ
યુવરાજના આક્ષેપો મામલે VTV પહોંચ્યું ગ્રાઉન્ડ ઝીરો ઉપર
મુખ્ય શિક્ષકને જાણ કરી દિલીપ પટેલ પત્ની સાથે ઉતર્યા રજા ઉપર
છેલ્લા 20 વર્ષથી ઇટાડા પ્રાથમિક શાળામાં બજાવે છે ફરજ
ગુજરાતમાં ભરતી અને તેમા કૌભાંડ એક સામાન્ય બાબત થઈ ગઈ છે. ઘણા સમયથી ઉર્જા વિભાગની ઓનલાઈન થયેલી ભરતી મામલે યુવરાજસિંહ મોટા આરોપ લગાવી રહ્યા છે. આજે મીડિયાને સંબોધન કરી યુવરાજસિંહે મોટા ઘટસ્ફોટ કર્યા છે કે ઈટલા પ્રાથમિક શાળાના 3 અસીલમાંથી ઉર્જા વિભાગની ભરતી કૌભાંડમાં દિલીપ પટેલ અને અરવિંદ પટેલ મુખ્ય આરોપી છે. ત્યારે VTVએ ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈ ગળતેશ્વર ની ઇટાડા પ્રાથમિક શાળાના શિક્ષકનું જીઈબી પરીક્ષામાં કનેક્શન અંગે ખરાઈ કરી છે. શાળાના શિક્ષક દિલીપ પટેલ ત્યાં ગેરહાજર જોવા મળ્યા હતા. શનિવારથી તેઓ છે કેજયુલ લિવ ઉપર છે. હાલ તે મુખ્ય શિક્ષકને જાણ કરી પત્ની સાથે રજા ઉપર ઉતરી ગયા છે. છેલ્લા 20 વર્ષથી શિક્ષક દિલીપ પટેલ ઇટાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. પત્ની પણ ઇટાડા શાળામાં જ શિક્ષિકા છે.
મારો પુત્ર કે પુત્રવધૂ કોઈ જ જેટકોમાં નોકરી કરતાં નથી: શિક્ષક દિલીપ પટેલ
ત્યાર બાદ બીજી તરફ આમારી ટીમે દિલીપ પટેલનો સંપર્ક સાધ્યો હતો. જયાં દિલીપ પટેલે યુવરાજસિંહના તમામ આરોપ ફગાવતા કહ્યું હતું કે મારો પુત્ર કે પુત્રવધૂ કોઈ જ જેટકોમાં નોકરી કરતાં નથી. હું અઅ આરોપથી અચંબિત છું કે કેવી રીતે કોઈ પાયા વિહોણી વાત કરી પર્ટીકયુલર આવા આરોપો કરી શકે ?આ એક જ્ઞાતિ વિરુદ્ધ 10 દિવસથી આરોપ કરી રહ્યા છે હું આ આરોપોને કોર્ટમાં પડકારીશ. મારી પતિષ્ઠાને ખંડિત કરવાનું આ ષડયંત્ર આ લોકો કરી રહ્યા હોય તેવુ મને લાગી રહ્યું છે. યુવરાજસિંહ પાસે પુરાવા હોય તો મારી સંપતિને ચેક કરાવી શકે છે. પણ હું તમામ તપાસમાં પૂરતો સહયોગ આપીશ. મારો પુત્ર સરદાર સરોવર નિગમ લીમીટેડ માં જોબ કરે છે અને મારી પુત્રવધૂ જીએસસીસીએલમાં જોબ કરે છે. કોઈ જેટકોમાં નોકરી કરતું નથી આ એક કાવતરુંના ભાગ હોઈ શકે છે હું માનહાનીનો દાવો કરીશ.
યુવરાજસિંહ જાડેજાના દાવા સાથે મોટા આરોપ
સ્પર્ધાત્ક પરીક્ષા અંગે AAP નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ગંભીર આક્ષેપો સાથે મોટું નિેવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે એવું કહ્યું કે ઉર્જા વિભાગની ભરતીમાં પરિવારવાદ અને સગાવાદનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમા ઈટલા પ્રાથમિક શાળાના 3 વ્યક્તિઓ મુખ્ય હોવાની તેમણે વાત કરી છે. શિક્ષક દિલીપ પટેલના સગા વિજય પટેલની ભરતી કરવામાં આવી તેવા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા છે. સાથેજ તેમણે એવું નામ સાતે ઉલ્લેખ કરતા કહ્યું કે શ્વેત પટેલ વચેટીયાની ભૂમિકામાં છે ઉપરાંત કૃપલબેન અને હેતશી પટેલ પણ ઓળખાણ વાદથી લાગેલા છે. વધુંમાં તેમણે શિખા પટેલ જેટકોમાં નોકરી કરે છે તે વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
દિલીપ પટેલ અને અરવિંદ પટેલ મુખ્ય સૂત્રધાર
સમગ્ર મામલે દિલીપ પટેલ અને અરવિંદ પટેલ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. જેઓ ઉર્જા વિભાગના અધિકારીઓ સાથે સેટિંગ કરવા છે. સાથેજ તેમણે કહ્યું કે અધિકારીઓના નામ પણ મળ્યા છે પરંતુ તેઓ ક્રોસ વેરિફાઈડ કરીને નામ જાહેર કરશે. એમડી સહિતની પોસ્ટ પર રહેલા કુલ 108 લોકોના નામ સામે આવ્યા છે કે જેઓ ખોટી રીતે નોકરીએ લાગ્યા છે.
8 કરોડની સંપત્તીની તપાસ કરવા માગ
યુવરાજસિંહે દિલીપ ભાઈ ડાહ્યા પાસે જે સંપત્તી છે તેની તપાસ કરવાની માગ કરી છે. કુલ 8 કરોડની સંપત્તિ તેમની પાસે ક્યાંથી આવી તેની ખાસ તપાસ કરવાંમાં આવે. હેડ ક્લાર્ક પરિક્ષામાં પણ પિનાકીન બારોટનું નામ આવ્યુ હતું જેથી તેમણે કહ્યું કે પિનાકીન બારોટ પણ ઉર્જા વિભાગના ભરતી કૌભાંડ સાથે સંકળાયેલા હતા.