ટૂંક સમયમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સભ્યોને મોટી ભેટ મળી શકે છે. અહેવાલ છે કે સરકારી ન્યુનત્તમ પેન્શનને વધારવાની દિશામાં કામ કરી રહી છે અને તેને વધારી શકાય છે. આશા છે કે અત્યારે જે ન્યુનત્તમ માસિક પેન્શન સરેરાશ 1000 રૂપિયા છે, તેને વધારીને 9000 રૂપિયા કરી શકાય છે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સભ્યોને મળશે મોટી ભેટ
ન્યુનત્તમ માસિક પેન્શનને વધારવામાં આવે તેવી શક્યતા
ફેબ્રુઆરીમાં શ્રમ મંત્રાલયની બેઠકમાં થઇ શકે છે મોટો નિર્ણય
સરકારી ન્યુનત્તમ પેન્શનને વધારાય તેવી શક્યતા
સરકારે આ પગલું પેન્શન ધારકોની માગ પર ઉઠાવ્યું છે. પેન્શન ધારકો લાંબા સમયથી માંગ કરી રહ્યાં હતા કે પેન્શનને વધારવામાં આવે. ફેબ્રુઆરીમાં શ્રમ મંત્રાલયની એક મહત્વની બેઠક થઇ શકે છે અને સંસદની સ્ટેન્ડિંગ કમિટીની ભલામણ પર આ બેઠકમાં કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે. શ્રમ મંત્રાલયની આ બેઠકમાં નવા વેજ કોડને લઇને પણ કોઈ મહત્વનો નિર્ણય થઇ શકે છે. માર્ચ 2021માં સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ ન્યુનતમ પેન્શનને 1000 રૂપિયાથી વધારીને તેને 3000 રૂપિયા કરવાની માગ કરી હતી. જો કે, પેન્શન ધારકોની ડિમાન્ડ છે કે તેને વધારીને 9000 રૂપિયા કરવામાં આવે. પાંચ રાજ્યોની હાઈકોર્ટે અત્યાર સુધી પેન્શનને મૌલિક અધિકાર પણ ગણાવ્યો છે.
શું છે પેન્શન સ્કીમ?
ઈપીએફઓ હેઠળ પ્રોવિડન્ટ ફંડ મેળવતા બધા લોકો કર્મચારી પેન્શન સ્કીમ-1995 હેઠળ આવે છે. જ્યારે તેઓ 58 વર્ષની ઉંમર બાદ નિવૃત થાય છે તો તેમને ન્યુનત્તમ 1000 રૂપિયા દર મહિનાના હિસાબે પેન્શન આપવામાં આવે છે. જો કે તેના માટે આ જરૂરી છે કે કર્મચારીએ ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી કરી હોય. આ સ્કીમમાં વ્યક્તિની મૃત્યુ થવાથી વિધવા પેન્શન અને બાળકોને પેન્શનની સુવિધા પણ આપવામાં આવે છે.