લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન છે. 20 રાજ્યની 91 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. આ વખતે ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સવારે 7થી સાંજ 6 વાગે સુધી મતદાન કરી શકાશે.
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન છે. 20 રાજ્યની 91 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. આ વખતે ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સવારે 7થી સાંજ 6 વાગે સુધી મતદાન કરી શકાશે. જેમાં પ્રથમ તબક્કામાં અનેક દિગ્ગજ નેતાઓની બેઠક પર મતદાન યોજાયુ છે. ઉત્તરપ્રદેશની 8 મહત્વની બેઠકો માટે પણ મતદાન યોજાયું છે.
જેમાં સવારે 11 વાગ્યામાં સુધીમાં મુઝફ્ફરનગરમાં 27 ટકા, બાગપતમાં 26 ટકા, સહારનપુરમાં 24 ટકા મતદાન, મણિપુરમાં 35.03 ટકા અને મેઘાલયમાં 27 ટકા મતદાન, પ.બંગાળમાં 25 ટકા, છત્તિસગઢમાં 20 ટકા મતદાન નાગાલેન્ડમાં 21 ટકા, અરૂણાચલમાં 22 ટકા મતદાન, તેલંગાણામાં 20 ટકા, આસામમાં 25 ટકા મતદાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
જ્યારે છત્તીસ ગઢમાં નકસલીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. જો કે લોકસભા 2019ની ચૂંટણીને લઇને દિગ્ગજ નેતાઓએ તેમના પરિવાર સાથે મતદાન કર્યું છે. જ્યારે અનેક રાજ્યમાં ઇવીએમમાં ખામી હોવાની ફરિયાદ સામે આવી રહી છે. નાગાલેન્ડમાં 9 વાગ્યા સુધીમાં 21 ટકા મતદાન જ્યારે ઔરંગાબાદમાં 6.8 ટકા મતદાન, બિહારના ગયામાં 13 ટકા મતદાન થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુપીના ગૌતમબુધ્ધ નગરમાં 15 ટકા, સહારનપુરમાં 9 ટકા મતદાન, જમૂઇમાં 5.87 ટકા મતદાન, સિક્કિમમાં 9 વાગ્યા સુધીમાં 22 ટકા મતદાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.
કેન્દ્રીય નેતાઓની વાત કરવામાં આવે તો આ પ્રથમ તબક્કામાં વી.કે. સિંહ, મહેશ શર્મા, અજીત સિંહ, ચિરાગ પાસવાન અને કિરેન રિજિજૂ જેવા નેતાઓની બેઠક માટે મતદાન યોજાયુ છે. મહારાષ્ટ્રના નાગપુર ખાતે સંઘ પ્રમુખ મોહન ભાગવતે મતદાન કર્યું. મોહન ભાગવતે જણાવ્યું કે દરેક લોકો અવશ્ય મતદાન કરે. નાગપુર બેઠક પરથી ભાજપના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને કોંગ્રેસના નાના પટોલે મેદાનમાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવિટ કરી મતદાતાઓને મતદાન કરવા અપીલ કરી છે. પીએમ મોદીએ ટવિટ કરી લખ્યું છે કે પહેલાં કરો મતદાન, પછી જલપાન. પીએમ મોદીએ કહ્યું છે કે વધુમાં વધુ મતદાતાઓ મતદાન કરે. લોકતંત્રના આ મહોત્સવમાં જરૂર ભાગ લો.