ED (Enforcement Directorate) એ મોટી કાર્યવાહી કરતા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી સાંસદ રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે.
ED કોંગ્રેસ પર મોટી કાર્યવાહી
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું
રણદીપ સુરજેવાલાએ ઝાટકણી કાઢી
ઍન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ-EDએ મોટા એક્શન લેતા કોંગ્રેસના વચ્ચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી સાંસદ રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે. આ સમન્સ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ મામલે મોકલવામાં આવ્યું છે. 2015માં એજન્સીએ તેની તપાસ બંધ કરી દીધી ગતી. પણ હવે ફરીથી આ કેસ મામલે કોંગ્રેસના બંને નેતાઓને સમન્સ મોકલવાંમાં આવ્યું છે. અધિકારીઓના હવાલે આ સમાચાર મળ્યા છે. તો વળી EDની આ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, અમારા અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ આપવામાં આવી છે. 1942માં જ્યારે નેશનલ હેરાલ્ડ અખબાર શરૂ થયું હતું, ત્યારે તે સમયે અંગ્રેજોએ તેને દબાવાની કોશિશ કરી હતી, અને આજે પણ એવું જ થઈ રહ્યું છે, એટલા માટે EDનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Enforcement Directorate summons Congress interim president Sonia Gandhi and party MP Rahul Gandhi over the National Herald case, which was closed by the investigating agency in 2015: Official Sources pic.twitter.com/RKqVNpEDXE
કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ સરકાર પર બદલાની ભાવનાથી કાર્યવાહી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, અમે ડર્યા નથી અને ઝૂકવાના પણ નથી, મજબૂતીથી લડીશું. આ એક રાજકીય લડાઈ છે. સમન થોડા દિવસ પહેલા પણ મોકલ્યું હતું. જરૂરી હશે તો સોનિયા ગાંધી નિશ્ચિતપણે જશે અને રાહુલ ગાંધી માટે અમે થોડો સમય માંગીશું. ED એ તેમને 8 જૂન પહેલા પૂછપરછ માટે બોલાવ્યા છે. સુરજેવાલાએ દાવો કર્યો છે કે, આ કેસમાં ન તો મની લોન્ડ્રીંગ કે ન તો મની એક્સચેંજના કોઈ પુરાવા છે.
Congress interim president Sonia Gandhi will go to ED office on 8th June: Congress leader Abhishek Manu Singhvi
તો વળી કોંગ્રેસ નેતા અભિષેક મનુ સંઘવીએ આરોપ લગાવ્યો છે કે, મોંઘવારી અને બેરોજગારીથી સામાન્ય જનતાનું ધ્યાન ભટકાવવા માટે કેન્દ્રના ઈશારા પર આ બધુ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ અને તેમના નેતાઓ કંઈ ડરવાના નથી.
શું છે આખો કેસ
ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર નેશનલ હેરાલ્ડ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. 2012થી આ કેસ ચાલી રહ્યો છે. કેસ અંતર્ગત આરોપ છે કે, કોંગ્રેસ નેતાઓએ યંગ ઈંડિયન લિમિટેડ કંપની દ્વારા નેશનલ હેરાલ્ડ અખબાર ચલાવનારી એસોસિએટેડ જર્નલ્સ (AJL)નું અધિગ્રહણ, ગોલમાલની સાથે પુરુ કર્યું અને લગભગ 5 હજાર કરોડની સંપત્તિ બનાવી લીધી.
2012માં ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક જાહેરહીતની અરજી કરી હતી. તેમણે કોંગ્રેસ નેતાઓ પર છેતરપીંડીનો આરોપ લગાવ્યો હતો. નવેમ્બર 2012માં સુબ્રમણ્યમ સ્વામીએ જે આરોપ લગાવ્યો હતો, તેમાં એવું પણ સામેલ હતું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ફ્રોડ કરીને એજેએલને પોતાનું બનાવી લીધું હતું. સાથે જ નેશનલ હેરાલ્ડ. કૌમી આવાજના પબ્લિકેશન રાઈટ્સ પણ લઈ લીધા હતા. તેના માટે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ મેળવી લીધી હતી. જ્યારે આ પ્રોપર્ટી સરકાર દ્વારા ફક્ત અખબરોની પબ્લિશિંગના ઉદ્દેશ્યથી આપવામાં આવી હતી. પણ કોંગ્રેસ નેતાઓએ તેનો ઉપયોગ કરીને લાખો રૂપિયાના ભાડાની આવાક સાથે પાસપોર્ટ કાર્યાલય ચલાવવા માટે કર્યો.