નાણાકીય વર્ષ 2020-21નું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે કે નહીં, તેના પર સરકારે જવાબ આપ્યો છે. વાત એમ છે કે, આ દિવસે શનિવાર છે અને આ રજાનો દિવસ હોય છે. એવામાં અટકળો લગાવાઇ રહી હતી કે, સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીની જગ્યાએ 3 ફેબ્રુઆરીએ એટલે કે સોમવારે રજૂ કરવામાં આવી શકે છે.
પહેલીવાર 2017-18નું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયું હતું
પહેલા ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં બજેટ રજૂ કરવામાં આવતું હતું
આર્થિક સર્વેક્ષણ 31 જાન્યુઆરીએ થવાની સંભાવના છે
હવે સરકાર તરફથી સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે પરંપરા ચાલુ રખાશે. વર્ષ 2015-16 બાદ પહેલી વાર હશે, જ્યારે બજેટ શનિવારે રજૂ કરવામાં આવશે. અહીં બતાવી દઇએ કે પહેલી વાર 2017-18નું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું. આ પહેલા ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં બજેટ રજૂ કરવામાં આવતું હતું.
શું કહ્યું પ્રહલાદ જોશીએ ?
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીને પૂછવામાં આવ્યું કે શું સરકાર ફેબ્રુઆરીના પહેલા દિવસે બજેટ રજૂ કરવાની પરંપરા જાળવી રાખશે, અથવા તેમા કોઇ બદલાવ થઇ શકે છે. કેમકે એક ફેબ્રુઆરીએ શનિવાર છે, આ દિવસે રજા છે. તેના પર જોશીએ જવાબ આપ્યો કે 'પરંપરા યથાવત રહેશે'. તેની સાથે જ આર્થિક સર્વેક્ષણ 31 જાન્યુઆરીએ થવાની સંભાવના છે.
નોંધનીય છે કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બજેટ રજૂ કરવા પાછળનું કારણ 31 માર્ચ સુધી બજેટની પ્રક્રિયા પૂર્ણ કરવાનું છે. જેથી 12 મહીના માટે ખર્ચની કવાયત 1 એપ્રિલથી શરૂ થઇ શકે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં 5 જુલાઇએ સામાન્ય બજેટ રજૂ કરાયું હતું.