ચૂંટણી પંચ આચાર સંહિતાને લઈને ખૂબ સક્રિય નજરે પડી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ ચૂંટણી પંચે ચોકીદાર ચોર હૈ વાળા નિવેદનને લઈને પોતાનો નિર્ણય આપી શકે છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી દરમિયાન તમામ પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. કોઈ નેતા પોતાના થીમ સોંગ દ્વારા તો ચૂંટણી રેલીઓમાં એક બીજા પર આરોપ અને પ્રત્યારોપ લગાવી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચની પણ નેતાઓના ભાષણ અને રેલી અને નિવેદન પર નજર છે.
ચૂંટણી પંચ આચાર સંહિતાને લઈને ખૂબ સક્રિય નજરે પડી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ ચૂંટણી પંચે ચોકીદાર ચોર હૈ વાળા નિવેદનને લઈને પોતાનો નિર્ણય આપી શકે છે. ચોકીદાર ચોર હૈ વાળા નિવેદનને લઈને ભાજપના નેતાઓએ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી.
ભાજપે રાહુલ ગાંધી સામે આ ફરિયાદ દાખલ કરી હતી. અમેઠીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનો હવાલો આપતા ચોકીદાર ચોર હૈ એવુ નિવેદન આપ્યું હતું. જે બાદ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થઈ હતી. આ ફરિયાદને લઈને રાહુલ ગાંધી ચૂંટણી પંચના રડારમાં આવ્યા છે.
યૂપીના મુખ્ય ચૂંટણી અધિકારીએ અમેઠીમાં રાહુલ ગાંધીના નિવેદનનો પૂરો વીડિયો પણ મોકલી આપ્યો છે. ભાજપના નેતાઓ ફરિયાદમાં કહ્યું છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પોતાની રેલીઓમાં ચોકીદાર ચોર હૈના નારા લગાવે છે.. આ નિવદેન વિવાદાસ્પદ છે અને તેના પર રોક લગાવવામાં આવે.