અમરેલીમાં જિલ્લામાં લોકોને ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અમરેલીમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મીતીયાળામાં ભૂકંપનો આંચકો અનુભવાયાના સમાચાર સામે આવ્યા છે. ભૂકંપ આવતા મીતીયાળામાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. ભૂકંપને કારણે મીતીયાળાના મકાનોમાં તીરાડો પડી હતી અને ધરતી ધણધણી ઉઠતા લોકોમાં ભય ફેલાયો હતો. મીતીયાળા અભ્યારણના જંગલમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ખાંભા ગીરના વાંકિયા ગામમાં પણ ભૂકંપનો આંચકો અનુભાવાયાની પણ જાણકારી છે. બપોરે 12.47 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
અમરેલીમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો
મીતીયાળામાં ભૂકંપનો આંચકો અનુભવાયો
ભૂકંપ આવતા મીતીયાળામાં લોકો ઘરની બહાર દોડી આવ્યા
ભૂકંપને કારણે મીતીયાળાના મકાનોમાં તીરાડો પડી
ધરતી ધણધણી ઉઠતા લોકોમાં ભય ફેલાયો
મીતીયાળા અભ્યારણના જંગલમાં ભૂકંપનો આંચકો
ખાંભા ગીરના વાંકિયા ગામમાં પણ ભૂકંપનો આંચકો
બપોરે 12.47 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો
ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?
- 0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
- 2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
- 3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
- 4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
- 5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
- 6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
-7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
- 8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
- 9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.
જાણો ભૂકંપ કેમ આવે છે ?
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવામાં આજના EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?