ગુજરાતમાં કોરોનાની સ્થિતિને જોઈને DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે.
DyCM નીતિન પટેલનું નિવેદન
રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છેઃ નીતિન પટેલ
મનપાના કમિશનરોને સૂચના આપવામાં આવી છે
શું કહ્યુ નીતિન પટેલે?
DyCM નીતિન પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને સૂચના આપવામાં આવી છે. કમિશનરને યોગ્ય નિર્ણય લેવા છૂટ અપાઇ
છે અને જરૂરી પગલાં લેવા માટે પણ છૂટ અપાઇ છે
રાત્રિ કર્ફ્યુ અંગે શું કહ્યુ?
DyCM નીતિન પટેલ વધુમાં જણાવ્યું હતુ કે, આજે રાત્રિ કરફ્યુ અંગે નિર્ણય લેવામાં આવશે. અન્ય પગલાં લેવા મુદ્દે પણ આજે ચર્ચા કરાશે. કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે. પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી.
ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. રાજ્યના મહાનગરોમાં માઠી દશા બેઠી હોય તેમ કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. વધતા કેસને પગલે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ફરી એકવાર 5 હજાર નજીક પહોંચી ગઈ છે.
છેલ્લા એક દિવસની વાત કરીએ તો ગુજરાતમાં 890 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત અને અમદાવાદના છે.. સુરતમાં એક દિવસમાં 262 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં 209 કેસ નોંધાયા છે.. આ તરફ રાજકોટમાં 95 અને વડોદરામાં 93 કેસ નોંધાયા છે.. જ્યારે પાટનગર ગાંધીનગરમાં 18 કેસ, જામનગરમાં 14 કેસ, ભાવનગરમાં 12 કેસ અને જૂનાગઢમાં 9 કેસ નોંધાયા છે. વધતા કેસને પગલે તંત્ર પણ ચિંતિત છે.. અને ફરી એકવાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવે તેવી શક્યતા છે.
અમદાવાદમાં કોરોનાના કેસો 200ને પાર પહોંચ્યા છે. પ્રથમવાર શહેરમાં 530 કેસો એક્ટિવ છે. 24 ડિસે.બાદ એક જ દિવસમાં 205 કેસ નોંધાયા હતા. વધુ 4 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનો ઉમેરો થયો છે. પશ્ચિમ વિસ્તારમાં કોરોના કેસ વધી રહ્યાં છે.
સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું
સુરતમાં સ્કૂલોમાં કોરોના કેસ સામે આવ્યા છે. ગઈકાલે 37 વિદ્યાર્થી-શિક્ષકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સુરતમાં યુ.કે અને આફ્રિકન સ્ટ્રેઇનના કેસ જોવા મળી રહ્યા છે. ગઈકાલે 2200થી વધુ વિદ્યાર્થીઓ-શિક્ષકોનું ટેસ્ટિંગ કરાયું હતું. અઠવા અને રાંદેર ઝોનમાં કોરોના સંક્રમણ વધ્યું છે. સુરતમાં ગઈકાલે 262 કોરોના કેસ નોંધાયા છે.