એક તરફ કોરોના મહામારીને કારણો લાદવામાં આવેલા લૉકડાઉનથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ રાજ્યમાં ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. કેટલાય ખેડૂતો એવા પણ છે જેઓ પાયમાલ થઇ ચુક્યા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સૌરાષ્ટ્રના એક ખેડૂતે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
દ્વારકાના ખંભાળિયાના ખીરસરા ગામના ખેડૂતનો આપઘાત
આર્થિક સંકડામણને કારણે ખેડૂતે કર્યો આપઘાત
કિરીટ કદાવલા નામના ખેડૂતે આપઘાત કર્યો
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે દ્વારકાના ખંભાળિયાના ખીરસરા ગામના ખેડૂતે આપઘાત કરી લેતા પરિવારનો પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ ખેડૂતે આર્થિક સંકડામણથી કંટાળીને આપઘાત કર્યો હતો.
ઝેરી દેવા પીને મોતને વ્હાલું કર્યું
કિરીટ કદાવલા નામના ખેડૂતનો પાક ભારે વરસાદને કારણે નિષ્ફળ જતાં આર્થિક સંકડામણની સ્થિતિ ઉભી થઇ હતી. આર્થિક મુશ્કેલીનો સામનો નહીં કરી શકતા તેમણે ઝેરી દેવા પીને મોતને વ્હાલું કર્યું હતું.
એક મહિના પછી થવાના હતા લગ્ન
ઉલ્લેખનીય છે કે, કિરીટ કદાવલાના દીકરીના આગામી મહિને લગ્ન થવા જઇ રહ્યા છે અને અચાનક બાપે આર્થિક સંકડામણને કારણે મોતને વ્હાલું કરી લેતા દીકરી બાપ વિહોણી બની હતી અને હાથ પીળા થાય તે પહેલા જ તેને રડવાનો વારો આવ્યો હતો. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી.