બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Kishor
Last Updated: 04:35 PM, 30 April 2023
ઉનાળામાં હિટ સ્ટ્રોક અને શરીરમાં પાણી ખૂટી જવા સહિતની અનેક સમસ્યાઓ માથું ઉચકતી હોય છે. જેની સામે સાવચેતી રાખવા માટે લોકો અનેક પ્રકારના પ્રયાસો કરતા હોય છે આવી સ્થિતિ વચ્ચે તમને સાંભળીને નવાઈ લાગશે. પરંતુ શરીર પર પહેરવામાં આવતા ટાઈટ જીન્સ પણ સમસ્યા સર્જી શકે છે. એકદમ ફીટ જીન્સ પહેરવાથી ઉનાળામાં ત્વચાની સમસ્યા સર્જાઈ શકે છે. જેથી આગમચેતીના ભાગરૂપે ગરમી વધતાની સાથે જ જીન્સ પહેરવું ટાળવું જોઈએ તેવી નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.
નિષ્ણાંત તબીબોએ જણાવ્યું કે જીન્સ શિયાળામાં અને ઠંડા વિસ્તારમાં રહેતા લોકો માટે આવકારદાયક છે. પરંતુ ગરમ હવામાનમાં જીન્સ ગરમીને રોકી રાખે છે પરિણામે ત્વચામાં અનેક પ્રકારની સમસ્યા જન્મે છે. જેમાં શરીરમાં બળતરા, એલર્જી ત્વચામાં સોજો, ધાધર, ફંગલ ચેપ સહિતના રોગોનો સમાવેશ થાય છે. જીન્સ કપડા હવાને રોકી રાખતા હોવાથી પરસેવો સુકાતો નથી. પરિણામે ફંગલ થાય છે.
જીન્સને નિયમિત રીતે ધોવું જોઈએ
એટલું જ નહીં સુતરાઉ કાપડની સરખામણીએ ડેનિમમાં ફૂગના બીજકણ ધોવાથી પણ સરળતાથી મળી શકતા નથી. પબમેડ જનરલના પ્રકાશિત થયેલ એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે એક વખત જોયા પછી પણ જીન્સ કપડામાં ફંગલના નિશાન જોવા મળે છે. આથી સાથળને સંબંધીત સમસ્યા ઊભી થાય છે.જેનાથી બચવા માટે જીન્સને નિયમિત રીતે ધોવું જોઈએ અને ઊંધું સુકવવાની પણ સલાહ આપવામાં આવી છે.
એક નિષ્ણાતે એવો પણ દાવો કર્યો છે કે ...
સાથે સાથે નાયલોન, સિન્થેટિક અને પોલિ3એસ્ટર જેવા અન્ય કપડાથી પણ ત્વચા પર સમસ્યાનું કારણ બની શકે છે. કારણ કે આવા કપડાઓ પણ હવાને પસાર થવા દેતા નથી. ત્યારે ઉનાળા દરમિયાન ફૂલ સ્લીવ વાળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. જે હાથ અને ગરદનને ઢાંકે છે. એક નિષ્ણાતે એવો પણ દાવો કર્યો છે કે જીન્સ કપડા બનાવતી વેળાએ મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયામાં વપરાતા રંગો અને રસાયણો એલર્જી અને અન્ય ત્વચા સમજ્યાનું કારણ બની શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army