અકસ્માત વીમા યોજનાની ખાતેદાર ખેડૂત સહાયમાં સરકારે ફેરફાર કર્યો છે. હવે ખાતેદાર ખેડૂતની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. અકસ્માતમાં મૃત્યુ કે સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં સહાય પેટે રૂ. બે લાખ ચૂકવવામાં આવશે.
જો કે બે અંગ ગુમાનવારને રૂ. 2 લાખની સહાય ચૂકવાશે. જ્યારે એક આંખ અને એક અંગ ગુમાવનારને સો ટકા લેખે રૂ. 2 લાખની સહાય ચૂકવવામાં આવશે.
એટલું જ નહીં આંખ અથવા અંગ ગુમાવનારને 50 ટકા લેખે રૂ. 1 લાખની સહાય ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત આ સહાય ખાતેદાર ખેડૂતના કોઈ પણ પરિવારજનને મળે એવી જોગવાઈ કરાશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂત અકસ્માત યોજના રકમ બમણી કરવાની જાહેરાત કરી હતી. જેમાં ખેડૂત અકસ્માતમાં સહાય 2 લાખની જ્યારે ગંભીર ઇજામાં 1 લાખની ચૂકવણી કરાશે તેમ જણાવામાં આવ્યું હતું.