બાંધકામ માટે વૃક્ષ કાપવામાં આવે તેની જગ્યાએ 5 રોપા વાવવામાં આવશે
દેશમાં સતત વધતા રોડ અને હાઇવે નેટવર્ક દ્વારા ટ્રાફીકને લઇ વધુ એક સુવિધા અંગે વિચારણા છે. આ સાથે વૃક્ષો કાપવાના કારણે ગરમી પણ વધી રહી છે. જોકે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની પહેલથી તેમાં સુધારો થશે. એટલું જ નહીં, હવે હાઈવે પરની મુસાફરી પણ વધુ સુખદ બનશે. તેમણે કહ્યું હતું કે, વૃક્ષોને બચાવવા માટે નવા રસ્તાઓ વિશે વિચારવાની જરૂર છે. જો આમ કરવામાં નહીં આવે તો રસ્તાના નિર્માણમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
એકને બદલે પાંચ છોડ વાવવામાં આવશે: નીતિન ગડકરી
નેશનલ હાઈવે એક્સેલન્સ એવોર્ડ દરમ્યાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) હાઈવે પર હરિયાળી જાળવી રાખવા માટે તેની 'ટ્રી બેંક' ખોલશે. તેમણે રસ્તાઓ પર વૃક્ષારોપણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગડકરીએ કહ્યું કે, જ્યારે પણ બાંધકામ માટે વૃક્ષ કાપવામાં આવશે તો તેની જગ્યાએ પાંચ રોપા વાવવામાં આવશે.
માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુને ઘટાડવાના પ્રયાસો
નીતિન ગડકરીએ કહ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વર્ષ 2024 સુધીમાં આ આંકડો 50 ટકા સુધી ઘટાડવાના પ્રયાસો કરવામાં આવશે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, વૃક્ષોને બચાવવા માટે નવા રસ્તાઓ વિશે વિચારવાની જરૂર છે. જો આમ કરવામાં નહીં આવે તો રસ્તાના નિર્માણમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
અગાઉ ભારત NCAPને લઈ શુ કહ્યું હતું ?
અગાઉ ગડકરીએ કહ્યું હતું કે, હવે કારના ક્રેશ ટેસ્ટિંગના આધારે સ્ટાર રેટિંગ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, મૂલ્યાંકનનો નવો કાર્યક્રમ 'ભારત NCAP' એવી સિસ્ટમ પ્રદાન કરે છે કે જેના હેઠળ ભારતમાં વાહનોને ક્રેશ ટેસ્ટમાં તેમના પ્રદર્શનના આધારે 'સ્ટાર રેટિંગ' આપવામાં આવશે. સરકારના આ પગલાને અકસ્માતમાં મૃત્યુઆંક ઘટાડવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.