કચ્છમાં દિવાળી જેવા શુભ અવસરમાં પણ ગૌચર જમીનનાં નામે લોહી રેડાયું છે જેમાં પિતા-પુત્રની ઘાતકી હત્યા કરવામાં આવી છે.
ગૌચરની જમીનને લઈને ધીંગાણું
ઘીંગાણામાં પિતા-પુત્રનું નિઘન
ત્રણ આરોપીઓ ફરાર
ડબલ મર્ડર કેસ
દિવાળીના સપરમા પર્વે ખાવડાના દિનારા નજીક હારૂનવાંઢમાં જમીનના ઝઘડામાં લોહી રેડાયું છે અને એકસાથે બબ્બે લોકોની ઘાતકી હત્યા કરી દેવાઈ છે. ડબલ મર્ડરના બનાવના પગલે પોલીસ તંત્રમાં દોઢધામ મચી છે.
કચ્છના ખાવડાના દિનારા નજીક હારૂનવાંઢમાં જમીનના ઝગડામાં પિતા પુત્રની હત્યા કરવામાં આવી છે. ગૌચરની જમીન પર વાડા બંધાવવા મામલે પાંચ થી છ શખ્સો અને પિતા પુત્ર ભીલાલ ઈસ્માઈલ સમા અને ઈશાક ભીલાલ સમા વચ્ચે ઝગડો થયો હતો. જેમાં પિતા પુત્રનું મૃત્યુ થયુ છે તો સામે પક્ષે ત્રણ લોકો ઘાયલ થયા છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા છે, પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી મુજબ હારૂનવાંઢમાં ગૌચરની જમીન પર વાડા બનાવવા મુદ્દે લોહિયાળ ધિંગાણું ખેલાયું હતું. પાંચ-છ શખ્સો તીક્ષ્ણ હથિયારો સાથે પિતા-પુત્ર પર તૂટી પડ્યાં હતા જેમાં ગંભીર ઈજાથી બંનેના મોત નીપજ્યાં છે મૃતક પિતા પુત્રમાં ભીલાલ ઈસ્માઈલ સમા અને ઈશાક ભીલાલ સમાનો મોત નીપજ્યું છે.સામા પક્ષે ત્રણ લોકો ઘવાયાં છે અને ત્રણ આરોપી ફરાર થઈ ગયા છે. હાલ હારૂનવાંઢમાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરી છે.