હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમા વ્રતને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે સ્નાન-દાનનુ વિશેષ મહત્વ હોય છે. માન્યતા છે કે આ દિવસે સાચા મનથી કરવામાં આવેલી પૂજાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.
કાર્તિક પૂર્ણિમાના દિવસે કરો ભગવાન વિષ્ણુની પૂજા
સાચા મનથી કરેલી પૂજાથી ભગવાન વિષ્ણુ થાય છે પ્રસન્ન
આ નિયમોનુ ધ્યાન રાખીને કરો ભગવાનની પૂજા
આવતીકાલે, કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળી (8 નવેમ્બર) ના રોજ સાંજે 4.23 વાગ્યાથી, અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે. દેશના પૂર્વ ભાગ સિવાય અન્ય શહેરોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે, જે સાંજે 6.19 કલાકે સમાપ્ત થશે. ચંદ્રગ્રહણ શરૂ થશે અને તે સાંજે 7.26 સુધી રહેશે.
પુરીના જ્યોતિષી ડૉ. ગણેશ મિશ્રાના જણાવ્યા અનુસાર, 2022 પહેલા સૂર્ય અને ચંદ્રગ્રહણનો આવો યોગ 2012માં અને તે પહેલા 1994માં થયો હતો. 2012માં 13 નવેમ્બરે દિવાળીના રોજ સૂર્યગ્રહણ અને 28 નવેમ્બરે દેવ દિવાળીના રોજ ચંદ્રગ્રહણ થયું હતું. 1994માં 3 નવેમ્બરે દિવાળીના રોજ સૂર્યગ્રહણ અને 18 નવેમ્બરે દેવ દિવાળીના રોજ ચંદ્રગ્રહણ થયું હતું. હવે આવો સંયોગ 18 વર્ષ પછી બનશે. 2040 માં, 4 નવેમ્બરે દિવાળીના રોજ આંશિક સૂર્યગ્રહણ (ભારતમાં દેખાતું નથી) હશે અને દિવાળીના રોજ 18 નવેમ્બરે સંપૂર્ણ ચંદ્રગ્રહણ થશે, આ ગ્રહણ ભારતમાં દેખાશે.
ઉજ્જૈનના જીવાજી વેધશાળાના અધિક્ષક ડૉ. રાજેન્દ્ર ગુપ્તાના જણાવ્યા અનુસાર, ભારતમાં ચંદ્રગ્રહણ બપોરે 2.38 વાગ્યે શરૂ થશે. દેશના પૂર્વ ભાગમાં કોલકાતા, કોહિમા, પટના, પુરી, રાંચી અને ઇટાનગરના નજીકના શહેરો સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોશે અને બાકીના ભારતમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. જ્યાં પૂર્ણ ગ્રહણ હશે ત્યાં ચંદ્ર લાલ રંગનો દેખાશે.
કાર્તિક પૂર્ણિમાના દિવસે ન કરો આ કાર્ય
કાર્તિક પૂર્ણિમાના દિવસે તામસિક ભોજનથી દૂર રહેવુ જોઈએ. આ સાથે આ દિવસે માંસ, દારૂ, ડુંગળી અને લસણનુ સેવન ના કરવુ જોઈએ.
આ વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ થઇ રહ્યું છે, તેથી આ દિવસે સૂતક કાળના નિયમોનુ ઉલ્લંઘન ન કરશો.
કાર્તિક પૂર્ણિમાના દિવસે બ્રહ્મચર્યનુ પાલન અવશ્ય કરો. આ સાથે પ્રયાસ કરો કે તમે નીચે જમીન પર ઊંઘી જાઓ. આમ ન કરવાથી ચંદ્ર દેવ નારાજ થઇ શકે છે.
આ દિવસે કોઈ પણ પ્રકારના વાદ-વિવાદનો ભાગ ન બનો. આ સાથે આ દિવસે કોઈ નિ:સહાય, વૃદ્ધ અથવા ગરીબ માટે અપશબ્દોનો પ્રયોગ ભૂલથી પણ ન કરશો.
કાર્તિક પૂર્ણિમા પર કરો આ કામ
આ વિશેષ અવસરે દાન-ધર્મ કરવાથી ભક્તોને વિશેષ લાભ મળે છે. તેથી આ દિવસે કોઈ પણ જરૂરીયાતમંદને અન્ન અથવા ધનનુ દાન અવશ્ય કરો. આમ કરવાથી વ્યક્તિ પુણ્યનો ભાગીદાર થાય છે.
કાર્તિક પૂર્ણિમાએ દેવ દિવાળી મનાવવામાં આવે છે. આ વર્ષે કાર્તિક પૂર્ણિમાના કારણે આ પર્વને એક દિવસ પહેલા મનાવવામાં આવશે. તેથી આ દિવસે દીપદાન અવશ્ય કરો. આમ કરવાથી અનેક સમસ્યાઓનુ સમાધાન નિકળી જશે.
કઈ રાશિના જાતકને શું અસર થશે?
મેષ રાશિ- ચંદ્ર ગ્રહણને કારણે મેષ રાશિના જાતકોની માનસિક ચિંતામાં વધારો થશે. આ દરમ્યાન તમે દૈનિક રોજગારને લઇને તણાવમાં આવી શકો છો.
વૃષભ રાશિ- ભાઈઓ વચ્ચે તણાવ આવી શકે છે. ઘર અને વાહન સુખને લઇને પણ થોડો તણાવ રહી શકે છે. આ દરમ્યાન તમારા સુખમાં ઘટાડો થશે અને ઊંઘની બિમારી વધશે.
કર્ક રાશિ- આ દરમ્યાન તમારું મન અશાંત રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થશે. આ દરમ્યાન કારણ વગર તણાવ વધશે.
સિંહ રાશિ- સરકારી અથવા ઉચ્ચ અધિકારી સાથે તણાવની સ્થિતિ બની રહી છે. મનોબળ અને સ્વાસ્થ્યમાં અડચણની સ્થિતિ બની રહી છે. પેટ અને પગની સમસ્યાઓમાાં વધારો થશે.
કન્યા રાશિ- આ દરમ્યાન વાણીની તિવ્રતામાં વધારો થશે. એવામાં આ દરમ્યાન કોઈની પણ સાથે સાચવીને વાત કરો. આવકના સાધનમાં તણાવની સ્થિતિ ઉભી થઇ રહી છે. આ સમયે માતાના સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહો.
તુલા રાશિ- આ દરમ્યાન માનસિક સ્વાસ્થ્યમાં અડચણની સ્થિતિ ઉત્પન્ન થશે. માતાને કોઈ કષ્ટનો સામનો કરવો પડી શકે છે. દામ્પત્ય અને પ્રેમ સંબંધોમાં તણાવની સ્થિતિ ઉત્પન્ન થશે.
વૃશ્વિક રાશિ- મનોબળ અને સ્વાસ્થ્યને લઇને મન આશંકાભર્યુ રહેશે. આ દરમ્યાન તમારું મન ઘણુ અશાંત રહેશે અને તમને દર વખતે અહેસાસ થશે કે કઈક થઇ રહ્યું છે.
ધન રાશિ- ચંદ્ર ગ્રહણ વખતે તમને અચાનક ક્રોધ આવી શકે છે. એવામાં જરૂરી છે કે તમે પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખો. દામ્પત્ય સુખ અને પ્રેમ સંબંધોમાં તણાવની સ્થિતિ ઉભી થઇ શકે છે.
મકર રાશિ- આ દરમ્યાન હેલ્થ સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી અને પ્રેમ સંબંધોને લઇને મન બેચેનીભર્યુ રહેશે.
મીન રાશિ- આ દરમ્યાન સંતાનને લઇને ચિંતા, સાથે મનોબળમાં અવરોધ ઉભા થઇ શકે છે. આ દરમ્યાન તમારા ભાઈ-બહેનો અને મિત્રોને કષ્ટ થઇ શકે છે. પરાક્રમ અને સન્માનમાં અડચણો આવશે.