રાજ્યમાં તબીબોની હડતાળને મિશ્ર પ્રતિસાદ. રાજકોટમાં વિરોધ યથાવત જ્યારે વડોદરામાં હડતાળની નહિવત અસર
રાજ્યમાં તબીબોની હડતાળ યથાવત
રાજકોટમાં તબીબોએ ચક્ષુદાન અને અંગદાનના સંકલ્પ પત્ર ભર્યુ
વડોદરામાં તબીબોની હડતાળની નહીવત અસર
કોરોનાના કપરાકાળમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર તબીબો હડતાળ પર ઉતરતા રાજ્યની આરોગ્ય સેવા ઇમરજન્સીમાં આવી ગઇ છે.રાજ્યભરમાં સરકારી મેડિકલ કોલેજના 10 હજાર જેટલા સિનિયર તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળને પગલે રાજ્યની આરોગ્ય સેવા ખોરવાઇ ગઇ છે.તબીબો દ્વારા અત્યારસુધીમાં ચાર વખત પડતર મુદ્દાઓને લઈને હડતાળ કરવામાં આવી હતી,પરંતુ સરકારે માત્ર મૌખિક બાંયધરી આપતાં તેમણે હડતાળ પરત ખેંચી લીધી હતી.ત્યારે તબીબોની વધુ એક હડતાળને પગલે રાજ્યની આરોગ્ય સેવા હવે ઈમરજન્સીમાં આવી ગઈ છે.
રાજકોટમાં તબીબોની હડતાળનો ચોથો દિવસ
રાજકોટમાં તબીબોની હળતાળનો આજે ત્રીજો દિવસ છે. તબીબો આજે ચક્ષુદાન અને અંગદાનના સંકલ્પ પત્ર ભરીને વિરોધ નોંધાવ્યો. તબીબોએ ગઈકાલે સરકારને જગાડવા રામધૂન બોલાવી હતી. તબીબોની હડતાળને પગલે 70 આયોજિત સર્જરી થઇ શકી ન હતી. મહત્વનું છે કે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા વિડીયો મેડિકલ કોલેજના પટાંગણમાં સિનિયર ડોકટરો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ પોતાની જૂની માંગણીઓ દર્શાવતા પોસ્ટરો દર્શાવી વિરોધ પણ પ્રગટ કરવામાં આવ્યો હતો.
વડોદરામાં હડતાળની નહિવત અસર
તો આ તરફ વડોદરામાં સરકારી તબીબોના હડતાળની નહિવત અસર જોવા મળી. વડોદરામાં કોન્ટ્રાક્ટ પરના તબીબો દર્દીઓની કરી સારવાર કરી રહ્યા છે.SSG હોસ્પિટલમાં રાબેતા મુજબ OPD ચાલી રહી છે. કોન્ટ્રાક્ટ તબીબો દ્વારા ઈમરજન્સી ઓપરેશન પણ કરવામાં આવી રહ્યા છે. સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓ હવે રામભરોસે મુકાયા છે. શહેરની બંન્ને સરકારી હોસ્પિટલોમાં 150 સર્જરી ઠપ્પ થઈ છે. જો કે ઈમરજન્સી સારવારને અસર ન થાય તે માટે તંત્રએ આયોજન કર્યું છે.