બનાસકાંઠા જિલ્લામાં ડીસાની સિવિલ હોસ્પિટલમાં એક તબીબની બદલી થતા દર્દીઓ ધરણા પર બેસી ગયા છે અને જ્યાં સુધી તબીબની બદલી અટકાવવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ડો ખાન ડીસા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 12 વર્ષ થી નઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે.
તેવામાં સરકાર દ્વારા હમણાં જ કરાયેલી 41 બદલીઓમાં તેમની પણ બદલી કરાતા દર્દીઓમાં રોષ વ્યાપી ગયો છે. એટલું જ નહીં પણ જ્યારે તેમની બદલી કરી હોવાની જાણ થતાં જ તમામ દર્દીઓ પથારી છોડી બહાર દોડી આવ્યા હતા.
સમગ્ર ઘટના વિશે જણાવીએ તો સામાન્ય રીતે લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે જવાનું ટાળતા હોય છે પરંતુ બનાસકાંઠાના ડીસા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે લાઈનો લાગે છે એનું એક માત્ર કારણ છે ડો. ખાન. ડો ખાનની ડીસા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 12 વર્ષ થી નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે તેવામાં સરકાર દ્વારા હમણાં જ કરાયેલી 41 બદલીઓમાં તેમની પણ બદલી કરાતા દર્દીઓમાં રોષ વ્યાપી ગયો છે.
એટલું જ નહીં પણ જ્યારે તેમની બદલી કરી હોવાની જાણ થતાં જ તમામ દર્દીઓ પથારી છોડી બહાર દોડી આવ્યા હતા અને હોસ્પિટલનો દરવાજો બંધ કરી ધરણા પર બેસી ગયા હતા. બાટલો ચડાવેલો હોય તેવા સિરિયસ દર્દીઓ પણ બહાર આવી ધરણા પર બેસી ગયા હતા અને જ્યાં સુધી ડો. એમ એચ ખાનને પાછા સિવિલમાં લાવવામાં નહીં આવે આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
હાલમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં રોજના 700 જેટલા દર્દીઓ આવે છે અને મોટાભાગના દર્દીઓને ડો એમ એચ ખાન દ્વારા પ્રેમ પૂર્વક લાગણી સાથે સારવાર કરતા અચાનક તેમની બદલી થતા દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સિવિલ સુપરિટેન્ડન્ટે સરકારમાં જાણ કરી ઉચ્ચ સ્તરે રજુઆત કરવાની વાત કરી છે.