સ્વામિનારાયણના સંતનો ફરીથી વીડિયો વાયરલ થયો છે. હનુમાનજી ભગવાન નથી આ અંગેનું નિવેદન આપતા ભૂજના સ્વામીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ક્ચ્છના ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે. હનુમાન ભગવાન પર વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે. ખાનગી ભક્તિ ચેનલના કથા કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હોવાનું સામે આવ્યુ છે.
હનુમાન ભક્તો અને ભૂજ સ્વામિનારાયણ સંતો વચ્ચે સમાધાન
ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી અક્ષરમુની સ્વામીના નિવેદન પછી સંતો અને હનુમાન ભક્તો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંતોએ હનુમાનજી ભગવાન હોવાની વાતને સ્વીકારી છે. સંતોના સ્વિકાર બાદ વિવાદનું સમાધાન થયું છે. ભૂજ સ્વામિનારાયણ મંદિરના સંત અક્ષરમુની દ્વારા એક નિવેદન અપાયું હતું. જેમાં તેમણે હનુમાનજીને ભગવાન નહીં પરંતુ સંત તરીકે ઉલ્લેખ કર્યો હતો.
સ્વામી અક્ષરમુનિજીએ કહ્યું હતું કે, હનુમાનજી ભગવાન નથી તે એક સંત છે. ભગવાનને ભજી ભજીને તે પૂજનીય બન્યા છે. સ્વામી અક્ષરમુનિજીના આ નિવેદથી હનુમાન ભક્તો અને રામ ભક્તો અને હિન્દૂ ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. રોષને લઇ ભુજ સ્વામિનારાયણ મંદિર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.