બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Dinesh
Last Updated: 11:17 PM, 21 December 2022
રાજકોટના રીબડા પાસે ચૂંટણીની અદાવતમાં બોલાચાલી થયાની ચર્ચા વહેતી છે. બે જૂથના લોકો દ્વારા ઉગ્ર બોલાચાલી કરતા પોલીસ સક્રિય થઈ છે. જયરાજસિંહ જાડેજા અને SP જયપાલસિંહ રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.
રાજકોટના રીબડા પાસે ચૂંટણીની અદાવતમાં બોલાચાલી થયાની ચર્ચા
રાજકોટના રીબડા પાસે ચૂંટણીની અદાવતમાં બોલાચાલી થયાની ચર્ચા વહેતી થતાં જયરાજસિંહ જાડેજા અને SP જયપાલસિંહ રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. બે જૂથના લોકોએ ઉગ્ર બોલાચાલી કરતા પોલીસ સક્રિય બની છે. રીબડા પાસેના પીપળીયા ગામ પાસે લોકો એકઠા થયા ચર્ચા વહેતી થઈ છે. રાજકોટ LCBની ટીમ અને ગોંડલ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. એકઠા થયેલા લોકોને પોલીસની ટૂકડીઓએ વિખેરતા મામલો શાંત પડ્યો હતો. પોલીસે લોકોને ખોટી અફવાઓમાં નહી આવવા અપીલ પણ કરી છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બન્યાની પોલીસે સ્પષ્ટતા કરી છે.
અગાઉ જયરાજસિંહ જાડેજાનું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું
તમને જણાવી દઈએ કે પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા અનેક વાર વિવાદિત નિવેદનોથી ઘેરાયેલા રહે છે. તેમનું અગાઉ પણ ગોંડલના રીબડામાં નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ અમુક લોકો જે છે તે રાજ કરી રહ્યા છે તેમને હટાવવા છે તેમણે જણાવ્યું હતું કે, આઝાદીની પ્રથમ ઘટના છે કે રીબડાવાળા સામે લડ્યાને 200 મત મળ્યા હોય તેમણે કહ્યું હતું કે, રીબડાના જેટલા મતદારો રાજકોટ છે તેઓ રીબડામાં દાખલ થઇ જાઓ. તેમણે કહ્યું કે, તમે રિબડામાં દાખલ થઈ જાઓ એટલે એ લોકોની ગાજરની પીપોડી બંધ થઈ જાય તેમણે કહ્યું કે, હું રિબડાનો આભાર માનું છું કે મને 212 મત આપ્યા છે આ 200 મત 20 હજાર જેવા છે.
ભુણાવા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સમાધાન થયું હતું
ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો વિધાનસભાની ચૂંટણી વખતે જોરદાર ગરમાયો હતો. ત્યારબાદ જયરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જૂથ વચ્ચે સમાધાન થયું હતું. તમને જણાવી દઈએ કે, રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ છે. ચૂંટણી સમય બંન્ને ક્ષત્રિય જૂથ વચ્ચે તંજ ખેચાયા હતા પરંતુ જે બાદ જયરાજસિંહ અને સહદેવસિંહના વલણ ધીમા પડતા એકબીજાનું સમાધાન થયું હતું. તેમના સમાધાન બાદ ભુણાવા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોનું પણ સમાધાન થયું હતું.
જયરાજસિંહ-સહદેવસિંહ વચ્ચે સમાધાન
ચૂંટણીના પરિણામ બાદ જયરાજસિંહ જૂથે અને સહદેવસિંહ જૂથે એકબીજા સાથે સમાધાન કરી લીધું હતું. આ સમાધાનથી રિબડા જૂથને પણ મોટો ફટકો પડ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army