ધંધુકામાં વિધર્મીઓ દ્વારા સોશ્યલ મીડિયામાં પોસ્ટ મામલે માલધારી યુવકની હત્યા બાદ ગુજરાતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે રાજકોટમાં પણ આવી જ ઘટના સામે આવી છે.
રાજકોટમાં પણ ધંધુકા જેવી ઘટના
ધાર્મિક ટીપ્પણી કરતા મારામારી
વિધર્મી લોકોના ટોળાએ માર માર્યાનો આક્ષેપ
સોશિયલ મીડિયામાં ધાર્મિક ટીપ્પણી કરતા મારામારી
રાજકોટમાં પણ ધંધુકા જેવી જ ઘટના સામે આવી છે. સોશ્યલ મીડિયામાં થયેલ એક પોસ્ટ બાદ ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનું કહીને 20થી 25 વિધર્મીઓના ટોળાંએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આક્ષેપ છે કે સોશ્યલ મીડિયામાં કરેલ પોસ્ટ દૂર કરવામાં આવી નહતી જે ટોળું ઉશ્કેરાયું હતું અને માર મારવા દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવી ગયા છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
ધાર્મિક પોસ્ટને કારણે વિવાદ સર્જાયો
સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલી એક ધાર્મિક પોસ્ટને કારણે વિવાદ સર્જાયો છે. પોસ્ટ ડિલીટ કરવાનું કહી વિધર્મી લોકો દ્વારા હિન્દુ યુવકને ધમકી આપવમાં આવી હતી. એટલું જ નહીં સમાધાન માટે બોલાવી 25 કરતા વધુ શખ્સોએ પાંચ જેટલા હિન્દુ યુવાનો પર હુમલો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.
એક ધર્મનાં ભગવાનને અન્ય ધર્મના ભગવાન કરતા વધુ શક્તિશાળી બતાવ્યા
ઉલ્લેખનીય છે કે, જે પોસ્ટ માટે આ વિવાદ થયો છે તેને જોતા તેમાં એક ધર્મનાં ભગવાનને અન્ય ધર્મનાં ભગવાન કરતા વધુ શક્તિશાળી બતાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જણાય રહ્યું છે. ત્યારે અન્ય ધર્મનાં લોકોની લાગણી દુભાતા આ વિવાદ થયો છે.