બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Dhananjay Raval from ahmedabad ankur hobby center is doing tremendous job since 38 years in gujarati
Mayur
Last Updated: 02:00 PM, 13 August 2022
ADVERTISEMENT
પેશન એટલે શું? એક જનૂન. એક બળબળતી આગ. જેના માટે માણસ એના તમામ શોખ, ભૂખ, તરસ અને આશરો એ બધું જ છોડવા માટે તૈયાર થઈ જાય!
એક એવી આગ જેમાં તપીને માણસ સો ટચનું સોનું બનીને બહાર નીકળે છે.
છેલ્લા 38 વર્ષથી કરે છે વિજ્ઞાનની સેવા
ADVERTISEMENT
વિજ્ઞાન કહે છે કે બ્રહ્માંડમાં સુર્ય કરતાં પણ વધારે તેજસ્વી તારલાઓ છે. પણ ઘણાં બધા તારાઓ નજર સામે આવ્યા વગર પણ પોતાનું કામ કરતાં રહે છે. સતત ઝળહળતાં રહીને પોતાનું અજવાળું પથરતાં રહે છે. અમદાવાદમાં રહેતાં ધનંજયભાઈ પણ આવા જ એક તેજસ્વી વિજ્ઞાનપ્રેમી છે. જે છેલ્લા 38 વર્ષથી સતત તપતા રહીને વિજ્ઞાનની સેવા કરતાં રહ્યા છે.
ADVERTISEMENT
એક અનોખુ હોબી સેન્ટર જ્યાં વિજ્ઞાન બોરિંગ નહીં ઇન્ટરેસ્ટિંગ લાગે છે
તેમણે વિજ્ઞાનનું એક એવું હોબી સેન્ટર શરૂ કર્યું કે જ્યાં વિજ્ઞાનને પ્રયોગો દ્વારા, સરળ ભાષામાં, અને બિલકુલ ઓછા ખર્ચે સમજાવવામાં આવે છે. જ્યાં માત્ર 10 રૂપિયાના ખર્ચે ન્યૂટનનો આઘાત-પ્રત્યાઘાતનો નિયમ સમજાવવામાં આવે છે. જ્યાં માત્ર 50 રૂપિયાના સાધનો વડે મેગ્નેટિક ફિલ્ડ અને ગ્રેવીટી સમજાવવામાં આવે છે. અને જ્યાં માત્ર 100 રૂપિયાનાં ખર્ચમાં તો આખા બ્રહ્માંડનું દર્શન કરાવવામાં આવે છે.
ADVERTISEMENT
અંકુર હોબી સેન્ટર એટલે ધનંજયભાઈએ જીવી બતાવેલું ઝળહળતું સ્વપ્ન. એમના અથાક પરિશ્રમની પ્રક્રિયામાંથી મળેલ એક અદભૂત નીપજ. અહીં વિજ્ઞાન ભણવું એ બોરિંગ નહીં પણ ઇન્ટરેસ્ટિંગ લાગે છે.
ADVERTISEMENT
પોતે અભ્યાસે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે ધનંજયભાઈ
ભારતના એન્જિનિયર્સની આજે દુનિયાભરમાં બોલબાલા છે. ચાહે તે માઇક્રોસોફ્ટના સુંદર પિચઇ હોય કે ટ્વિટરના નવા CEO પરાગ અગ્રવાલ. પણ કેટલાક એન્જિનિયર્સ એવા પણ છે કે જેમણે દેશમાં રહીને વિજ્ઞાનની એવી સેવા કરી છે કે તેમના માટે તો નોબેલ પ્રાઇઝનું સન્માન પણ ઓછું પડે!
ધનંજયભાઈ પણ અભ્યાસે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને તેમનું કામ વિદ્યાર્થીઓના જીવનમાં વિજ્ઞાનનું અજવાળું કરવાનું છે.
ADVERTISEMENT
બધુ છોડીને પણ વિજ્ઞાનને પ્રેમ કર્યો
આપણાં સમાજમાં એન્જીનીયર હોવું એ પોતે જ એક સ્ટેટ્સ સિમ્બોલ છે. ડૉક્ટર કે એન્જીનીયર હોવું એ એક સલામત અને સમૃદ્ધ વ્યવસાય માનવામાં આવે છે. પણ ધનંજયભાઈએ આ સલામત રસ્તો છોડીને એક એવો રસ્તો પસંદ કર્યો કે જે સાંભળીને કોઈ પણ કહી દે કે, ખરો ધૂની છે આ માણસ!
અંકુર હોબી સેન્ટરની સ્થાપના કર્યા બાદ ધનંજયભાઈએ જે ત્યાગ અને પરિશ્રમ વેઠ્યો છે એ અભૂતપૂર્વ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.