દરેક લોકો પોતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે ભગવાનની પૂજા પાઠ કરે છે. એની સાથે જ લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા દેશભરમાં સ્થાપિત ઘણા મંદિરોના દર્શન કરવા માટે પણ જાય છે. આજે અમે તમને એક એવા મંદિર માટે જણાવવા જઇ રહ્યા છીએ જેના માટે માન્યતા પ્રચલિત છે અહીંયા જે પણ કોઇ જાય છે એમની દરેક ઇચ્છાઓ જરૂરથી સિદ્ધ થાય છે. તો ચલો જાણીએ આ મંદિર માટે જ્યાં ત્રણ દેવીઓ મા દુર્ગા મહાલક્ષ્મી અને દેવી સરસ્વતી એક સાથે બિરાજે છે. જણાવી દઇએ કે રાજસ્થાનના જયપુર શહેરમાં ત્રણ ચૌપડ સ્થિત છે. આ ચૌપડોવે ત્રિદેવીઓનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. તમને જાણીને હેરાની થશે કે આ ચૌપડો પર મા ની મૂર્તિઓ નથી પરંતુ ત્રણ યંત્ર સ્થાપિત છે.
આ ચૌપડો માટે માન્યતા છે કે જો કોઇની કોઇ ઇચ્છા હોય જે અત્યાર સુધી પૂર્ણ ના થઇ હોય તો જયપુરમાં સ્થિત આ ત્રણ ચૌપડોના દર્શન કરવાથી તમારી તમામ ઇચ્છાઓ પૂર્ણ થઇ શકે છે.
આ જગ્યાને લઇને એવી માન્યતા છે કે અહીંયા ત્રણ ચૌપડોમાં સ્થિત ત્રિદેવીઓની પૂજા કરવાથી વ્યક્તિને તમામ મનોકામના પૂરી થઇ જાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર અહીંયા પૂજા કરતા પૂજારી અને વિદ્ધાનો દ્વારા નાની ચૌપડ પર મા સરસ્વતીનું યંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રામગંજ નામનું ચૌપડ મા દુર્ગાનું યંત્ર અને મોટા ચૌપડમાં મહાલક્ષ્મીનું યંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે મોટા ચૌપડ પર દેવી લક્ષ્મીનું શિખરબંધ મંદિર સ્થાપિત છે જેનું નામ માણેકચોકના નામ પર રાખવામાં આવ્યું છે. આ મંદિરની ખાસિયત એ છે કે મંદિરમાં નંદી પર સવાર માં પાર્વતી અને ભગવાન શિવના દુર્લભ વિગ્રહ જોવા મળે છે.
માન્યતા છે કે આ મંદિરમાં વિશેષ અનુષ્ઠાન બાદ મા લક્ષ્મી જી ની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી. જણાવી દઇએ કે આ પ્રતિમાની સૌથી ખાસ વાત એ છે કે આ એક જ શિલામાં નિર્મિત કરવામાં આવી છે. મંદિરના પ્રવેશ દ્વારા પર ગરુડ દેવતા બિરાજમાન છે જેના માટે કહેવામાં આવે છે કે આ મંદિરની રક્ષા કરે છે. જો તમે પણ ઇચ્છો છો કે વર્ષના નવા વર્ષ પર તમારી તમામ મનોકામના પૂર્ણ થઇ જાય તો એક વખત જરૂરથી આ મંદિરમાં જઇને દર્શન કરી આવો.