બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં એકાએક એકનાથ શિંદેના નામની મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરાતા મહારાષ્ટ્રની રાજનીતિમાં એક નવો જ વળાંક આવ્યો છે. આ અંગેની જાહેરાત ખુદ દેવેન્દ્ર ફડણવીસે જ કરી હતી. તેઓએ કોઇ પણ મંત્રીપદ પર રહેવા માટેની સ્પષ્ટપણે ના કહી દીધી હતી. પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની વિનંતી બાદ અંતે દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેના નવા મંત્રીમંડળમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. આથી, એકનાથ શિંદેના મુખ્યમંત્રી બનવાની સાથે-સાથે દેવેન્દ્ર ફડણવીસ પણ ડે.સીએમ બનશે. કારણ કે, શપથગ્રહણ સમારોહમાં પણ ત્રીજી ખુરશી પણ ઉમેરી દેવામાં આવી છે.
भाजपा अध्यक्ष श्री @JPNadda जी के कहने पर श्री @Dev_Fadnavis जी ने बड़ा मन दिखाते हुए महाराष्ट्र राज्य और जनता के हित में सरकार में शामिल होने का निर्णय लिया है।
— Amit Shah (@AmitShah) June 30, 2022
यह निर्णय महाराष्ट्र के प्रति उनकी सच्ची निष्ठा व सेवाभाव का परिचायक है। इसके लिए मैं उन्होंने हृदय से बधाई देता हूँ।
ADVERTISEMENT
આ અંગે ખુદ અમિત શાહે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાના કહેવા પર દેવેન્દ્ર ફડણવીસે મોટું મન રાખીને મહારાષ્ટ્ર રાજ્ય અને જનતાના હિતમાં સરકારમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. હું તેમને હૃદયથી શુભેચ્છા પાઠવું છું.'
ADVERTISEMENT
भाजपा ने महाराष्ट्र की जनता की भलाई के लिए बड़े मन का परिचय देते हुए एकनाथ शिंदे जी का समर्थन करने का निर्णय किया। श्री देवेन्द्र फडणवीस जी ने भी बड़े मन दिखाते हुए मंत्रिमंडल में शामिल होने का निर्णय किया है, जो महाराष्ट्र की जनता के प्रति उनके लगाव को दर्शाता है।
— Jagat Prakash Nadda (@JPNadda) June 30, 2022
ADVERTISEMENT
મહત્વનું છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ દેવેન્દ્ર ફડણવીસને ડે.સીએમ બનવા માટેની ભલામણ કરી હતી. પરંતુ અંતે ખુદ જે.પી નડ્ડાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'J. P. Naddaએ ટ્વિટ કર્યું, 'ભાજપે મહારાષ્ટ્રની જનતાની ભલાઇ માટે મોટું દિલ દાખવી એકનાથ શિંદે જીને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. શ્રી દેવેન્દ્ર ફડણવીસજીએ પણ મોટા હૃદય સાથે મંત્રીમંડળમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે, જે મહારાષ્ટ્રના લોકો પ્રત્યેનો તેમનો લગાવ દર્શાવે છે.'
શપથગ્રહણ સમારોહમાં ત્રીજી ખુરશી પણ ઉમેરી દેવામાં આવી
ADVERTISEMENT
#Maharashtra | A third chair added at the swearing-in ceremony, scheduled for 7.30 pm, for the oath-taking of BJP leader Devendra Fadnavis.
— ANI (@ANI) June 30, 2022
Eknath Shinde will take oath as the Chief Minister of the state this evening, Devendra Fadnavis too has agreed to be a part of the Govt. pic.twitter.com/PVwRDfmrkj
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદે સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શિંદેના નામની જાહેરાત કરી હતી. આ પ્રસંગે મીડિયાને સંબોધતા ફડણવીસે કહ્યું કે સરકારના લોકો પર દાઉદ સાથે કનેક્શનનો આરોપ લાગ્યો હતો. ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો હતો. આવી ગેરમાર્ગે દોરાયેલી સરકારને આજે દૂર કરવામાં આવી છે.
Devendra Fadnavis has decided to join the Maharashtra government on the request of BJP chief JP Nadda, tweets Union Home minister Amit Shah pic.twitter.com/kRJoAr4vgq
— ANI (@ANI) June 30, 2022
ઉદ્ધવજીએ હિન્દુત્વનો ત્યાગ કર્યો: ફડણવીસ
ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય કટોકટી જેવી સ્થિતિ હતી. બળવાખોર ધારાસભ્યો અગાઉ સુરત અને ત્યાર બાદ ગુવાહાટી પહોંચ્યા હતા. હવે આ જ બળવાખોર ધારાસભ્યોના જૂથમાંથી નેતા એકનાથ શિંદેને મહારાષ્ટ્રનાં નવા મુખ્યમંત્રી બનવાની તૈયારી થઈ હતી. સરકારને લઈને શિવસેનાના ધારાસભ્યોમાં રોષ જોવા મળ્યો હતો. તેઓએ વિચાર્યું કે હવે પછી મત કેવી રીતે માંગવો. જેઓ તેમના વિસ્તારમાં હારી ગયા તેમને પૈસા મળતા હતા. આ કારણે એકનાથ શિંદેજીના નેતૃત્વમાં ધારાસભ્યોએ આ ગઠબંધન તોડવાની માંગ કરી હતી. માનનીય ઉદ્ધવજીએ હિન્દુત્વનો ત્યાગ કર્યો છે.

સરકારના બે પ્રધાનો જેલમાં તેવું મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલી વાર બન્યું
દરમિયાન ફડણવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સરકારના બે પ્રધાનો જેલમાં છે. આવું અગાઉ ક્યારેય બન્યું નથી. બાળાસાહેબે હંમેશા દાઉદનો વિરોધ કર્યો હતો, પરંતુ ઉદ્ધવ સરકારમાં એક મંત્રી દાઉદ સાથે જોડાયેલો છે. જેલમાં ગયા બાદ પણ તેમને મંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા ન હતા. આ બાળાસાહેબનું અપમાન છે. સંભાજી નગર છેલ્લી ઘડીમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.