સુરેદ્રનગરમાં દલિત સમાજ દ્વારા ચક્કાજામ સર્જાયો હતો.ગેરવર્તન કરતા યુવકની અટકાયત કરવામાં આવી હતી.યુવકની અટકાયત કરાતા પ્રદર્શનકારીઓ વિફર્યા હતાં.પોલીસની ગાડીનો પ્રદર્શનકર્તાઓએ ઘેરાવ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે દલિત સમાજ દ્વારા વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે ચક્કાજામ દરમિયાન વચ્ચે આવેલા અજાણ્યા શખ્સે ગેરવર્તન કરવામાં આવ્યુ હતું. આથી પોલીસની ગાડીમાં લઇ જતી વખતે દલિત સમાજ દ્વારા પોલીસની ગાડીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.
આપને જણાવી દઇએ કે પાટણના એક દલિત આગેવાને પોતાની જમીન પરત નહીં મળવા બદલ જાતને જલાવી હતી જો કે ત્યારબાદ તેમને અમદાવાદની અપોલો હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.જેમાં મોડી રાત્રે તેમનું સારવાર દરમ્યાન તેમનું નિધન થતાં પરિવાર અને દલિત સમાજમાં ચકરાર મચી જવા પામી હતી જો કે આ ઘટના બાદ દલિત સમાજ દ્વારા ગુજરાતમાં ઠેર-ઠેર ચક્કાજામના દ્રશ્યો સર્જાવા પામ્યા હતા.