સુરત: દેશભરમાં સરકાર દ્વારા નોટબંધી અને GST લાગુ કરવામાં આવતા ઉદ્યોગોમાં અસર જોવા મળી રહી છે. GST બાદ હજી પણ ઉદ્યોગોમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. GSTના કારણે સુરતમાં ટેક્સટાઈલ ઉદ્યોગોમાં મંદી છે. ઉદ્યોગોમાં મંદી હોવાના કારણે મહિલાઓને મળતા રોજગારની અસર જોવા મળી છે.
ત્યારે હવે સરકાર દ્વારા મહિલાઓને મળતા રોજગારની તપાસ કરવામાં આવશે. આગામી 28 નવેમ્બરના રોજ સસંદીય કમિટી સુરતની મુલાકાત લેશે. રાજ્યસભા અને લોકસભાના સાંસદોની ટીમ સુરતની મુલાકાત લેશે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરતની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ સ્થળનું નિરીક્ષણ કર્યુ હતું. ત્યારબાદ બેરોજગાર મહિલાઓનો મુદ્દો રાહુલ ગાંધીએ લોકસભામાં પણ ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ લોકસભામાં મુદ્દો ઉઠાવતા હવે સંસદીય કમિટી દ્વારા તપાસ કરાશે.