દિલ્હીમાં થયેલી હિંસાને લઈને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પછી હવે રણદીપ સુરજેવાલાએ પણ ગૃહમંત્રી પર નિશાન સાધ્યું છે.
દિલ્હી હિંસાને લઈને રણદીપ સુરજેવાલાના અમિત શાહ પર પ્રહાર
ડોભાલનું આવવું એ ગૃહમંત્રીની હાર
સોનિયા ગાંધીએ માંગ્યું શાહનું રાજીનામું
રાજધાની દિલ્હીમાં ઉત્તર પૂર્વના વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી હિંસાએ દેશને હલાવી દીધો છે અને સાથે અનેક જગ્યાઓએ આગ અને પત્થરમારાની ઘટનાઓ બની છે. હાલ સુધી આ ઘટનામાં 34 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ સમયે વિપક્ષે કેન્દ્રીય ગૃહમંત્રી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે દિલ્હીની સડક પર અજિત ડોભાલનું હોવું એ અમિત શાહની હાર સાબિત કરે છે.
PM મોદીએ આપી પ્રતિક્રિયા
સતત 3 દિવસથી ચાલી રહેલી હિંસા બાદ જ્યારે પીએમ મોદી એક્ટિવ થયા તો તેઓએ સૌથી પહેલાં ટ્વિટ કરીને દરેકને શાંતિની અપીલ કરી. આ પછી રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે આવ્યા અને લોકો સાથે વાતચીત પણ કરી. આ મુદ્દે કોંગ્રેસે મોદી સરકારને આડે હાથ લીધી છે.
NSA, श्री अजित डोवाल को भेजकर मोदी जी ने साबित कर दिया कि श्री अमित शाह देश के गृह मंत्री के तौर पर पूरी तरह नाकाम साबित हुए हैं।
सोनिया जी ने भी यही बात कही है।
मोदी जी, एक विफल ग्रह मंत्री पर जब आपको ही विश्वास नही तो उन्हें बर्खास्त क्यों नही करते!https://t.co/FWM8IiIj83
સુરજેવાલાએ લખ્યું છે કે અજિત ડોભાલને મોકલીને મોદીજીએ સાબિત કર્યું કે અમિત શાહ દેશના ગૃહમંત્રીના પદે હારી ચૂક્યા છે.
સોનિયા ગાંધીએ પણ કહી આ વાત
સોનિયા ગાંધીએ કહ્યું કે મોદીજી એક અસફળ ગૃહમત્રી પર તમને વિશ્વાસ નથી તો તમે તેમને કાઢી કેમ નથી મૂકતા. તેઓએ કહ્યું કે જ્યારે દેશની રાજધાની સળગી રહી હતી ત્યારે અમિત શાહ ક્યાં હતા. દિલ્હીમાં હાલની સ્થિતિ માટે કેન્દ્ર સરકાર સીધી રીતે અમિત શાહ જવાબદાર છે. તેઓએ તરત જ રાજીનામું આપવું જોઈએ.
હિંસા પછી શાહે સેવ્યું મૌન
ઉલ્લેખનીય છે કે જ્યારે દિલ્હીમાં હિંસા ભડકી રહી હતી ત્યારે ગૃહમંત્રી શાહે મૌન સેવ્યું હતું. તેઓ ક્યાંય સામે આવ્યા નહીં અને કોઈ નિવેદન પણ આપ્યું નહીં. તેઓએ ફક્ત પીએમ મોદી દ્વારા કરાયેલી શાંતિ અપીલની ટ્વિટને રીટ્વિટ કરી હતી. આ સિવાય તેઓએ એક બેઠક બોલાવી હતી જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતા સામેલ હતા. જેમાં અર્ધસૈનિક બળની સંખ્યા વધારવામાં આવી.
દિલ્હીમાં લોકોને મળ્યા અજિત ડોભાલ
બુધવારે દિલ્હીમાં હિંસા પ્રભાવિત વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આવ્યા તો તેઓએ સામાન્ય લોકો સાથે વાત કરી. આ સાથે લોકોએ પોતાની તકલીફ રજૂ કરી. લોકોએ દિલ્હી પોલીસ અને અમિત શાહની ફરિયાદ કરી તો તેઓએ કહ્યું કે તેઓ પીએમ અને ગૃહમંત્રીના કહેવાથી જ અહીં આવ્યા છે.