રાજધાની દિલ્હીમાં લોકડાઉનની પોઝિટીવ અસર પડી છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ફક્ત 4524 કેસ નોંધાતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.
રાજધાની દિલ્હીમાં લોકડાઉનની પોઝિટીવ અસર
ચોવીસ કલાકમાં કોરોનાના ફક્ત 4524 કેસ
નવા કેસની ઝડપ ઘટી, રિકવરીની ઝડપ વધી
દિલ્હીમાં 5 એપ્રિલ બાદ પહેલી વાર 5,000 કરતા ઓછા કેસો
દિલ્હીમાં 5 એપ્રિલ બાદ પહેલી વાર 5,000 કરતા ઓછા કેસો આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ નવા કેસની ઝડપ પણ ઘટી છે સાથે સાથે રિકવરી પણ વધી છે. દિલ્હીમાં એક દિવસમાં 10,918 લોકો સાજા થયા. આ રીતે જોઈએ તો નવા કેસોની તુલનાએ રિકવર થયેલા લોકોનો આંકડો બમણા કરતા પણ વધારે છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ પણ 8 ટકા સુધી આવ્યો છે.
રવિવારે કોરોનાના 311170 નવા કેસ નોંધાયા
કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્રીના આંકડા અનુસાર રવિવારે કોરોનાના 311170 નવા કેસ નોંધાયા છે. સૌથી વધારે કેસ 7 મેના રોજ આવ્યા હતા. ત્યારે આ કેસનો આંક 4, 14, 915 નોંધાયો હતો. પરંતુ 9 દિવસમાં આ રેકોર્ડમાં 1, 03 745 ઘટાડો થયો છે. બહું ઓછા સમયમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે.તેમજ સાજા થનારાની સંખ્યામાં વધારો થયો છે. 6માંથી 5 દિવસ એવા હતા જ્યારે સાજા થનારાનીં સંખ્યા સંક્રમિતો કરતા વધારે હતી. રવિવારે 55344 લોકો સાજા થયા. દેશમાં 10 મેના રોજ 3745237 એક્ટિવ કેસ હતા. 16મેના આ સંખ્યા ઘટીને 36184558 થઈ ગઈ. 6 દિવસમાં 126779 કેસ ઘટ્યા. પણ મહારાષ્ટ્ર, યુપી, બિહાર, ગુજરાત, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ તથા હરિયાણાના એક્ટિવ કેસની સંખ્યા ઘટી. પણ તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરળ, આસામ, ઓડિશા, ત્રિપુરા તથા ઉત્તરાખંડમાં ચિંતા વધી રહી છે.
કોવેક્સિનના ઉપયોગની કોઈ આડઅસર નહીં
પેનલે તેના રિપોર્ટમાં એવું પણ જણાવ્યું કે ભારત બાયોટેક દ્વારા બનાવેલી કોવેક્સિનના ઉપયોગથી લોહી વહેવા કે જામી જવાની કોઈ ઘટના સામે આવી નથી.
પેનલના રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે લોહીમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનું જોખમ દક્ષિણ એશિયાના લોકોમાં 70 ટકા ઓછું રહે છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વતી ટૂંક સમયમાં હેલ્થકેર વર્ક્સ અને વેક્સિન લગાડનાર લોકોને પ્રેરિત કરવામાં આવશે કે વેક્સિન લીધા બાદ લોહી વહેવા કે લોહી જામી જવાની કોઈ સમસ્યા સર્જાય તો 20 દિવસની અંદર તેની જાણ કરવામાં આવે.