દિલ્હીની ત્રણ નિગમોને એક કરવાના બિલ પર મોદી કેબિનેટને મોહર લગાવી દીધી છે. હવે આ અઠવાડીયે આ બિલ સંસદમાં લાવવામાં આવશે.
મોદી કેબિનેટમાં લાગી મહોર
દિલ્હીની ત્રણ MCD એક થશે
ત્રણ મેયરની જગ્યાએ હવે એક જ મેયર હશે
દિલ્હીની ત્રણ નિગમોને એક કરવાના બિલ પર મોદી કેબિનેટને મોહર લગાવી દીધી છે. હવે આ અઠવાડીયે આ બિલ સંસદમાં લાવવામાં આવશે. સંસદમાં પાસ થયા બાદ દિલ્હીમાં ત્રણની જગ્યાએ ફક્ત એક જ મેયર હશે. આ ઉપરાંત નોર્થ, સાઉથ અને ઈસ્ટના બદલે ફક્ત એક જ નિગમ હશે.
કેન્દ્ર સરકાર ત્રણ એમસીડીને ભેગી કરી એક બનાવશે
આપને જણાવી દઈએ કે, MCD ચૂંટણીની તારીખોની જાહેરાત થતી હતી, પણ આ કારણે અત્યાર સુધી જાહેરાત થઈ નથી. ત્યારે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ત્રણ MCD ને એક કરી શકે છે.
દિલ્હી નગર નિગમમાં ચૂંટણી 18 મે પહેલા કરાવાની છે અને રાજ્ય ચૂંટણી પંચે એક મહિનાનો સમય પણ જોઈએ કે તે તારીખની જાહેરાત કરી શકે. ત્યારે આવા સમયે સંસદ કોઈ પણ નિર્ણય તારીખોને ધ્યાનમાં રાખીને કરશે. તેથી 16 એપ્રિલ પહેલા સંસદને નિર્ણય લેવાનો રહેશે. દિલ્હીમાં MCD ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખટખટાવ્યા છે. આમની ભલામણ છે કે, નિશ્ચિત સમયે જ MCDની ચૂંટણી થાય.
આપનો આરોપ ચૂંટણીથી ભાગી રહી છે ભાજપ
દિલ્હીમાં નગર નિગમ ચૂંટણી ટાળવા અને ભાજપ ચૂંટણીથી ભાગી રહ્યું હોવાીનો આરોપ આપ પાર્ટીએ લગાવ્યો છે. આ આરોપ પર ભાજપ પ્રદેશ મહામંત્રી કુલજીત ચહલે કહ્યું હતું કે, 4 વિધાનસભા ચૂંટણીમાં જમાનત જપ્ત કરાવનારી પાર્ટી ઓવર કોન્ફીડેંસમાં છે. તો વળી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે દાવો કર્યો છે કે, હાલ એમસીડીની ચૂંટણી થાય તો, ભાજપ ફક્ત 50 સીટોમાં સમેટાઈ જાય.
ઓછો થઈ શકે છે સીએમનો પાવર
વિગતો એવી આવી છે કે, દિલ્હી સરકારની દખલ નિગમમાં ખૂબ જ ઓછી કરવા માટે મેયર ઈન કાઉંસિલ વ્યવસ્થા અપનાવામાં આવી શકે છએ. જેમાં મેયર અને તેના કોર્પોરેટરો શહેરના લોકોનો ડાયરેક્ટ ચૂંટશે. જો આવુ થશે તો, સીએમથી વધારે પ્રભાવવાળા માનવામાં આવશે. કારણ કે, સીએમ ફક્ત એક વિધાનસભા ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. તો વળી મેયર અને કોર્પોરેટરનો કાર્યકાળ વધારવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.