CM સરમાએ કહ્યું હતું કે, સિસોદિયા વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરશે
મનીષ સિસોદિયાએ 4થી જૂને PPE કિટની ખરીદીમાં ગંભીર આરોપ લગાવ્યો
મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે, PPE કીટના કોન્ટ્રાકમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે
રિંકી ભુઈયા સરમાના વકીલે આ માહિતી આપી હતી
આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાની પત્ની રિંકી ભુઈયા સરમાએ મંગળવારે સિવિલ જજ કોર્ટ ગુવાહાટીમાં દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયા સામે રૂ. 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. રિંકી ભૂયણ સરમાના વકીલ પદ્મધર નાયકે કહ્યું કે તેઓને આશા છે કે બુધવારે આ મામલો લિસ્ટ થશે અને તેઓ આ મામલે આગળ વધશે.
મનીષ સિસોદિયાએ 4થી જૂને PPE કિટની ખરીદીમાં ગંભીર આરોપ લગાવ્યા
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયાએ 4 જૂને એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે જ્યારે 2020 દેશ સમગ્ર દેશ રોગચાળા સામે લડી રહ્યું હતું ત્યારે આસામના સ્વાસ્થ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમની પત્ની અને પુત્રની વ્યાપારીક ભાગીદારી ટ્રેડિંગ પાર્ટનર્સની કંપનીઓને PPE કીટ ભ્રષ્ટાચાર કર્યો છે. જો કે, આસામ સરકારે એવા આરોપોને નકારી કાઢ્યા છે
CM સરમાએ કહ્યું હતું કે, સિસોદિયા વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરશે
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ આરોપો બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવાની ચીમકી આપી હતી. શરમાએ શ્રેણીબદ્ધ ટ્વીટમાં કહ્યું હતું કે આસામમાં ત્યારે ભાગ્યે જ કોઈ PPE કીટ હતી. તેમણે કહ્યું, 'મારી પત્નીએ આગળ આવવાની હિંમત બતાવી અને લોકોના જીવ બચાવવા માટે સરકારને લગભગ 1500 કિટ દાન કરી. તેમણે આ મામલે એક પણ પૈસો લીધો ન હતો. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ કોવિડ-19 દરમિયાન 'કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી' તરીકે JCB ઈન્ડસ્ટ્રીઝ દ્વારા PPE કીટ લોન્ચ કરી તત્કાલીન નિયામક ડો.લક્ષ્મણન તરફથી મળેલ પ્રશંસા પત્ર પણ જોડવામાં આવ્યો હતો. સરમાની પત્ની રિંકી સરમા ભુયાન જેસીબી ઈન્ડસ્ટ્રીઝમાં ભાગીદાર છે.
મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે, PPE કીટના કોન્ટ્રાકમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે
મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે PPE કિટનો કોન્ટ્રાક્ટ સરમાની પત્ની સાથે જોડાયેલી કંપનીને આપવામાં આવ્યો હતો.મીડિયાના અહેવાલને ટાંકીને સિસોદિયાએ કહ્યું હતું કે આસામ સરકારે અન્ય કંપનીઓ પાસેથી 600 રૂપિયામાં PPE કિટ ખરીદી હતી, સરમાએ તેમની પત્ની અને પુત્રના વ્યવસાયિક ભાગીદારોની કંપનીને રૂ. 990 પ્રતિ નંગ માટે તાત્કાલિક સપ્લાય કરવાનો આદેશ આપ્યો હતો.