દેશમાં કોરોનાના કેસો ફરી એક વાર વધી રહ્યા છે. ત્યારે હવે તેને લઈને દિલ્લીમાં ફરજિયાત માસ્કનો નિયમ લાગૂ થયો છે.
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસો વધ્યા
કેસો વધતા લોકોને સાવધાની રાખવા જણાવ્યું
જાહેર સ્થળે ફરજિયાત માસ્ક કર્યા
દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક વાર કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે આવા સમયે દિલ્હી સરકાર ફરી એક વાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. સરકાર માસ્ક વગર જાહેર જગ્યા પર ફરતા લોકો પર કાર્યવાહી કરવાના નિર્દેશ આપી દીધા છે. નિર્દેશ અનુસાર જે લોકો દિલ્હી મેટ્રો, બસની સાથે સાથે સાર્વજનિક સ્થળો પર માસ્ક વગર ફરતા જોવા મળશે તો તેને દંડ ફટકારવામાં આવશે. તેના માટે ફરી એક ટીમ એક્ટિવ થઈ રહી છે.
માસ્ક નહીં પહેરવા પર દંડ લાગશે
તો વળી દક્ષિણી જિલ્લાના એક અધિકારીએ જણાવ્યું છે કે, કોરોના સંક્રમિત લોકો ભલે હોસ્પિટલમાં ભરતી થતાં નથી, પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેને નજરઅંદાજ કરી શકાય નહીં. એટલા માટે સાર્વજનિક સ્થળ પર માસ્ક વગર કોઈએ ફરવું નહીં. કારણ કે, આવું લોકોને હવે ફરીથી દંડ કરવા માટે ટીમ એક્ટિવ થઈ ગઈ છે.
લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ
એક અન્ય અધિકારીએ કહ્યું છે કે, લોકોએ એ સમજવું જોઈએ કે, કોરોના ઘટ્યો છે, પણ પુરેપુરો ખતમ થયો નથી. એટલા માટે લાપરવાહી ન કરતા તમામ લોકો જાહેર સ્થળો પર માસ્ક લગાવીને રાખે. આ ઉપરાંત જણઆવ્યું છે કે, માસ્કની સાથે સાથે લોકોએ કોરોના વેક્સિન લેવા માટે જાગૃત થવું જોઈએ. તેની સાથે જ સ્કૂલો અને અન્ય જગ્યાએથી બૂસ્ટર ડોઝ લગાવી લેવા જોઈએ.
CMએ કડકાઈના આદેશ આપ્યા
તો વળી આ અગાઉ ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ કોરોનાના વધતા કેસોને લઈને તમામ ડીએમને નિર્દેશ આપ્યા હતા. તેની સાથે જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તમામ ડીએમને નિર્દેશ આપતા કહ્યું કે, કોરોનાને લઈને તમામ કડકાઈનું પાલન જરૂરી છે. લોકોએ કોરોના નિયમોનું પાલન કરવું જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સ અને બીજી પ્રવૃતિનું ધ્યાન રાખે.