દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર બહાર તોડફોડનો મામલો સામે આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયનું કહેવું છે કે ધરણા પર બેઠેલા ભાજપના નેતાઓએ મુખ્યમંત્રીના ઘર પર લાગેલા CCTV કેમેરા તોડ્યા છે. જોકે ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. મહત્વનું છે કે, છેલ્લા એક સપ્હાતથી BJPના નેતાઓ ધરણા કરી રહ્યા છે. મુખ્યમંત્રી આવાસની બહાર BJPના ધરણા યથાવત છે. ભાજપ નેતાઓ13 હજાર કરોડના ફંડની માંગ સાથે ધરણા કરી રહી છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર બહાર તોડફોડ
AAPએ ભાજપ પર લગાવ્યા આરોપ
ભાજપે કહ્યું કે, AAP ગંદી રાજનીતિ પર ઉતરી આવ્યું
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર બહાર તોડફોડ મામલે AAPના આક્ષેપો મામલે ભાજપે કહ્યું કે, AAP ગંદી રાજનીતિ પર ઉતરી આવ્યું છે. ધરણા પર બેઠેલી મહિલા કાઉન્સિલરો પર નજર રાખવા માટે નવા CCTV લગાવી દીધા, જ્યારે CM હાઉસની બહાર પહેલાથી જ બહુ બધા કેમેરા લાગ્યા છે. આ કોઇ પણ મહિલાની અંગતતા પર હુમલો છે. AAPનો મહિલા વિરોધી ચેહરો ફરી એક વખત ઉજાગર થઇ ચૂક્યો છે.
AAP इस स्तर की घटिया राजनीति पर उतर आई है कि अब वो वहाँ बैठीं भाजपा की निगम पार्षदा पर नज़र रखने के लिए नए CCTV लगवा दिए जबकि CM हाउस के बाहर पहले से ही बहुत कैमरें हैं। ये किसी भी महिला की निजता पर हमला है। AAP का महिला विरोधी चेहरा एक बार फिर उजागर हो चुका है। बेहद शर्मनाक। https://t.co/JLgIXhdp0Y
મેયર જયપ્રકાશે કહ્યું કે, અમે 7 દિવસથી મુખ્યમંત્રીના ઘર બહાર છીએ, પરંતુ મુખ્યમંત્રી મળવાનું તો દૂર, વાત પણ નથી કરવા માંગતા. આજે મહિલા કાઉન્સીલર ઉંઘી રહી હતી, ત્યાં CM ઓફિસના લોકોએ મહિલાની પ્રાઇવેસીનું ધ્યાન રાખ્યા વિના CCTV કેમેરા લગાવી દીધા, જેનો મહિલા કાઉન્સિલરોએ વિરોધ કર્યો.
AAP इस स्तर की घटिया राजनीति पर उतर आई है कि अब वो वहाँ बैठीं भाजपा की निगम पार्षदा पर नज़र रखने के लिए नए CCTV लगवा दिए जबकि CM हाउस के बाहर पहले से ही बहुत कैमरें हैं। ये किसी भी महिला की निजता पर हमला है। AAP का महिला विरोधी चेहरा एक बार फिर उजागर हो चुका है। बेहद शर्मनाक। https://t.co/JLgIXhdp0Y
મેયરે કહ્યું કે, એવી અરાજકતા ન ફેલાવો, અમે કોઇ કેમેરા નથી તોડ્યા, બસ મહિલા કાઉન્સિલરો પર જે CCTV કેમેરા લાગી રહ્યા હતા તેને ન લગાવવા દીધા. ત્યારે, ભાજપના જવાબ પર AAPએ પૂછ્યું કે, CCTV કેમેરાથી ડર શેનો? ભાજપ નેતા CCTV તોડીને શું કરવા માંગતા હતા?