ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ મંગળવારે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની યાદમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું. દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા મોટા નેતાઓ સામેલ થયા.
આ શ્રદ્ધાંજલિ સભામાં અન્ય પાર્ટીઓમાંથી ટીએમસીના દિનેશ ત્રિવેદી, શરદ પવાર, અભિષેક મનુ સિંઘવી અને સતીશ મિશ્રા અને અન્ય હાજર સામેલ થયા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અરુણ જેટલી વનલાઇનર માટે જાણિતા હતા. તે પોતાની વાત વનલાઇનર દ્વારા કહી દેતા હતા. જેનો મોટો પ્રભાવ રહેતો હતો. આજે પોતાનાથી ઓછી ઉમંરના મિત્રને શ્રદ્ધાંજલિ આપવી પડી રહી છે. એમનું આપણાને છોડી જવું બહુ જ મોટી ક્ષતિ છે. પાર્ટી દરેક ક્ષણે તેમને યાદ કરશે.
Delhi: Prime Minister Narendra Modi, Senior BJP leader LK Advani, Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh and BJP Working President JP Nadda at the prayer meet held for former Finance Minister Arun Jaitley pic.twitter.com/5JZx0tGnRJ
પીએમ મોદીએ કહ્યું કે અરુણ જેટલી પાર્ટી વ્યવસ્થાની બહાર રહ્યા નહોતા. ઘણીવાર અમારે કાર્યક્રમમાં બહાર રહેવું પડતું હતું. તે ઇચ્છતા હોત તો પાર્ટી કાર્યાલયથી બહાર પણ રહી શક્યા હોત. પરંતુ એમણે ક્યારેય એવું કરતા નહોતા. અમે જ્યારે પણ સાથે બહાર રહેતા તો એક રૂમમાં જ રહેતા હતા. મોદીએ કહ્યું કે અરુણ જેટલી યોગ્ય શબ્દોનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરતા હતા. આ તમામ શીખીને આપણે ઘણું બધું કરી શકીએ છીએ.
નોંધનીય છે કે અરુણ જેટલીનું લાંબી બીમારી બાદ 23 ઓગસ્ટે એમ્સમાં 66 વર્ષની ઉમંરમાં નિધન થઇ ગયું હતું. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ જેટલીને 9 ઓગસ્ટે એમ્સમાં ભરતી કરાયા હતા.