જમ્મુઃ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલા બાદ જમ્મુમાં તણાવનો માહોલ બનેલો છે. અહીં હિંસા ભડક્યા બાદ કર્ફ્યૂ લાગાવી દેવામાં આવ્યું છે. વિકટ પરિસ્થિતિની વચ્ચે બઠિંડી અને શહેરના અન્ય ભાગોમાં રહેતા હજારો કાશ્મીરી લોકોને રાતોરાત પરત ઘાટીમાં મોકલી દેવામાં આવ્યા. પોલીસની સુરક્ષા વચ્ચે સેંકડો વાહનો બઠિંડી રવાના કરવામાં આવ્યા.
જોકે પુલવામા હુમલા બાદ જમ્મુના સાઇન્સ કોલેજ સહિત કેટલીક જગ્યાઓ પર કથિતરીતે દેશવિરોધી નારેબાજી કરવામાં આવી. જેનાથી જમ્મુમાં માહોલ બગડ્યો. લોકોએ જુલૂસ કાઢીને સ્થાનિક કાશ્મીરી લોકોની ગાડીઓ અને દુકાનો સળગાવી દીધી. જેને લઇને તંત્ર દ્વારા કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો.
જણાવાય રહ્યું છે કે આ સમયે ઠંડીના કારણે કાશ્મીરમાં વધુ પડતા લોકો જમ્મૂમાં આવીને રહે છે. ત્યાં બરફવર્ષાના કારણે શાળા અને કોલેજોમાં રજા રહે છે. એટલા માટે લોકો જમ્મૂમાં પોતાના પરિવાર સાથે આવે છે.
5 દિવસથી બંધ છે ઇન્ટરનેટ
જણાવી દઇએ કે કાશ્મીરમાં માહોલ બગડ્યા બાદ 5 દિવસથી ઇન્ટરનેટ બંધ છે. ત્યારે સવાર અને સાંજ કર્ફ્યૂમાં ઢીલ આપવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સેના પર હુમલા બાદ લોકોમાં આક્રોશ છે. એટલા માટે માહોલ ન બગડે એટલા માટે પ્રશાસન કોઇ લાપરવાહી નથી થવા દેવા માંગતા.