દેશમાં જેમ જેમ કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે, તેમ તેમ સરકારનું ધ્યાન રસીકરણની ઝડપ અને વ્યાપ વધારવા માટે લાગેલું છે.
દૌસા જિલ્લા કલકેટરનો મોટો આદેશ
રાજસ્થાનમાં વધી રહ્યા છે કોરોના કેસ
રસી લગાવવા વાળાને જ મળશે પેન્શન
રાજસ્થાનમાં પણ કોરોના ફરીથી વિસ્તરી રહ્યું છે, અને કોરોના ચેપને રોકવા અને રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે અહીં પણ સરકાર દરેક ઉપાય વિચારી રહી છે, જો કે આ સ્થિતિમાં દૌસા ડી.એમ.ના આદેશે મીડિયા માધ્યમોમાં ચર્ચા જગાવી છે.
વૃદ્ધોને પેન્શન માટે કલેકટરનો આદેશ
રસીકરણને લઈને DM દ્વારા એક નવો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ડીએમએ આદેશ આપ્યો છે કે, જિલ્લામાં દરરોજ રાત્રે આઠ વાગ્યે દરેક બજાર બંધ રહેશે અને સિટી કાઉન્સિલ પણ માસ્ક વિતરણ માટે અભિયાન હાથ ધરશે. આ ઉપરાંત કલેકટરે આદેશ આપ્યો છે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણ જરૂરી છે. જો તેઓ રસી ન લે તો તેઓને સરકારી કે વૃદ્ધાશ્રમ પેન્શન મળશે નહીં.
મહત્વનું છે કે, જિલ્લાના કોરોનાના કેસો સંદર્ભે કલેક્ટર સિટી કાઉન્સિલરો સાથે બેઠક કરી રહ્યા હતા. દરમિયાન ડીએમે જણાવ્યું હતું કે બજારો રાત્રે આઠ વાગ્યા સુધીમાં બંધ થઈ જશે અને તે જ સમયે સિટી કાઉન્સિલ માસ્ક વિતરણ અભિયાન શરૂ કરશે, અને જે પણ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરતું હોવાનું માલુમ પડે છે તેની પાસેથી ભારે દંડની જોગવાઈ કરવામઆ આવશે જે એકત્રિત કરવામાં આવશે.
રસીકરણનું પ્રમાણપત્ર લેવું પડશે
વધુમાં આ બેઠક દરમિયાન તેમણે કહ્યું કે, 60 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે રસીકરણ જરૂરી છે. આવી સ્થિતિમાં, રસી લાગુ કરનારાઓને જ સરકારી અથવા વૃદ્ધાવસ્થા પેન્શન મળશે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈપણ પ્રકારની સરકારી યોજનાનો લાભ મેળવવા માટે રસીકરણનું પ્રમાણપત્ર લેવાનું જરૂરી રહેશે.
ડીએમ દ્વારા લેવાયેલી આ બેઠકમાં દસાના ધારાસભ્ય મુરારી લાલ મીના અને અધ્યક્ષ મમતા ચૌધરી પણ હાજર હતા. ડીએમ, મીટિંગમાં કાઉન્સિલરોને જવાબદારીનું કામ વહેંચતા કહ્યું કે, તમામ કાઉન્સિલરોએ તેમના વોર્ડના 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોને રસીકરણ કેન્દ્રમાં લઈ જવી અને તેમને રસી અપાવવી જોઈએ.