સમગ્ર દુનિયામાં લગ્નને લઇને અલગ-અલગ રિવાજો હોય છે. વર-વધુને લગ્ન કરીને પોતાના ઘેર લઇ આવે છે પરંતુ એક એવી જગ્યા છે જ્યાં દીકરીના લગ્ન તો થાય છે પણ તેની વિદાય નથી થતી. કારણ કે અહીંયા દીકરીના લગ્ન તેના જ પિતા સાથે થાય છે.
બાંગલાદેશના મંડી જનજાતિની દીકરીઓ બાળપણથી જ તેના પિતા સાથે લગ્ન કરવાના સપનાઓ જોવે છે કારણ કે પહેલેથી જ આ જાતિમાં પિતા સાથે લગ્ન કરવાની પરંપરા ચાલી આવે છે.
જનજાતિની એક દીકરી ઓરોલાએ જણાવ્યુ હતું કે જયારે તે બહુ નાની હતી ત્યારે તેના પીતાનું મૃત્યુ થયું હતું અને તેની 'માં'ના બીજા લગ્ન થયા બાદ તે તેના બીજા પિતાને પોતાના પતિના રૂપમાં જોતી હતી.
જો કોઈ મહિલાના પતિનું મૃત્યુ થઇ જાય તો મહિલાને તેના પતિના પરિવારના કોઈ પુરુષ જોડે લગ્ન કરવા પડે છે.
ત્યાંના લોકોનું માનવું છે કે ઓછી ઉંમરમાં પતિ પોતાની પત્ની અને દીકરી બંનેની રક્ષા કરી શકે છે. જયારે અત્યારે આરોલાને પોતાના પિતાથી ત્રણ બાળકો છે અને તેની 'માં'ને બે બાળકો છે.
ભારત અને બાંગ્લાદેશમાં મંડી જનજાતિના લગભગ 20 લાખ લોકો રહે છે. આ સમુદાયના લોકોને 'ગારો'ના નામે ઓળખવામાં આવે છે.