અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન પર સેલિબ્રિટીઝે ખુશી જતાવી છે ત્યારે તેમાં ક્રિકેટરો પણ બાકાત નથી. ભારતીય ક્રિકેટર સુરેશ રૈના અને શિખર ધવને પણ લોકોને શુભકામનાઓ પાઠવી હતી પરંતુ એક પાકિસ્તાની ક્રિકેટરે તેના ફેન્સને રામ મંદિર પર ભૂમિ પૂજન થવાને લઇને શુભકામનાઓ પાઠવી હતી. કનોરિયાએ કહ્યું હતું કે આ ખૂબ જ ખુશીની વાત છે અને સમગ્ર વિશ્વમાં આ વાતને લઇને ખુશીનો માહોલ છે.
રામ મંદિર બનવા પર વિશ્વમાં ખુશીની લહેર
પાકિસ્તાનના આ ક્રિકેટરે જતાવી ખુશી
રામ મંદિરની નંખાઇ પહેલી ઇંટ
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રામ મંદિર નિર્માણની પ્રથમ ઇંટ મૂકી. આ ભૂમિપૂજનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મોહન ભાગવત પણ સામેલ હતા.
કનેરિયાએ પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરી હતી કે ભગવાન રામની સુંદરતા તેમના ચરિત્રથી છે, તેમના નામથી નહી. તે અસત્ય પર સત્યની જીત છે. આજે સમગ્ર વિશ્વમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.
તમને જણાવી દઇએ કે, કનેરિયાએ પાકિસ્તાન માટે 61 ટેસ્ટ મેચમાં 261 વિકેટ લીધી છે. તેમને ઇન્ગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટના મેચ ફિક્સિંગનો દોષી માનીને આજીવન બૅન કરી દેવામાં આવ્યા છે.