બનાસકાંઠામાં રવિમોટી ગામે છ શખ્સોએ એક દલિત યુવકની હત્યા કરી નગ્ન હાલતમાં જ લાશ ફેંકી દીધી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ધાનેરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હત્યારાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે જિજ્ઞેશ મેવાણીએ આ ઘટના મામલે તપાસની માંગ કરી છે તો અમિત ચાવજાએ પણ ઘટનાને વખોડી કાઢી હતી.
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના આક્ષેપ
દલિત યુવકની હત્યા કરી મૃતદેહ સાથે બર્બરતા આચરીઃ મેવાણી
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથધરી
બનાસકાંઠાના ધનેરામાં દલિત યુવકનો મૃતદેહ મળવાને ઉગ્ર રીતે વખોડી કાઢવામાં આવ્યો છે. આ યુવકની હત્યા કરી મૃતદેહ નિર્વસ્ત્ર કરી ઘસેડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રવિ ગામેથી પિન્ટુ ગલચરનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ મામલે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કરતા જણાવ્યુ હતં કે, દલિત યુવકની હત્યા કરી મૃતદેહ સાથે બર્બરતા આચરવામાં આવી છે. આરોપી સામે તત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ આ ઘટનાને વખોડી છે.
શું છે ઘટના?
ધાનેરાના રવિયા ગામે આજે વહેલી સવારે એક યુવકની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં રવિમોટી ગામે રહેતો પીન્ટુ ગલચર નામના યુવકને ગઇકાલે મોડી સાંજે મંડપ ના કામ માટે ઘરેથી બોલાવી ને બોલેરો ગાડી માં 6 શખ્સો લઈ ગયા હતા જોકે મોડી સાંજ સુધી તે પરત ન ફરતા તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.
પિન્ટુ ગલ્ચરને મારી તેની લાશને નગ્ન હાલતમાં જ બસ સ્ટેન્ડ પાસે ફેંકી
દરમિયાન અજાણ્યા શખ્સોએ આ પિન્ટુ ગલ્ચરને મારી તેની લાશને નગ્ન હાલતમાં જ બસ સ્ટેન્ડ પાસે ફેંકી ફરાર થઈ ગયા હતા જ્યારે આજે વહેલી સવારે જ હત્યા અંગેની જાણ થતાં જ પરિવારજનો અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી
હત્યા થઈ હોવાની જાણ થતાંજ ધાનેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લાશ ને પી એમ માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી.જ્યારે હત્યા કરનાર 6 શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સળગતા સવાલ
ક્યાં સુધી ભેદભાવ રહેશે ?
દલિતો સાથે આવી બરબરતા ક્યાં સુધી ?
કઇ રીતે સમાનતા વધારશે ?
આંતરિક એકતા આમા ક્યાંથી વધશે ?