રાજ્યમાં રથયાત્રાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ડાકોરમાં પણ 247મી રથયાત્રા કાઢવામાં આવી હતી. ગજરાજ પર ગોપાલ લાલજીને બેસાડીને રથયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન ડાકોરની આ રથયાત્રામાં ગજરાજે સંતુલન ગુમાવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, ગજરાજે માનસિક સંતુલન ગુમાવતા લોકોમાં દોડભાગ મચી હતી. ગજરાજ પર સવાર ગોપાલાલજી મહારાજને લઈ ભક્તોના જીવ પડીકે બંધાયા હતા. જો કે, ગજરાજ પર સવાર મહાવતનો આબાદ બચાવ થયો હતો અને મહાવતે હાથી પર કાબુ મેળવી પરિસ્થિતિ થાળે પાડી હતી.
આપને જણાવી દઇએ કે, આજે પુરી સહિત ગુજરાતમાં ઠેર-ઠેર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાને લઇને ગુજરાતમાં ઠેર-ઠેર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો ત્યારે ડાકોર આજે યોજાયેલ 247મી રથયાત્રામાં એક ગજરાતે સંતુલન ગુમાવતા અફરાતફરી મચી જવા પામી હતી.