70 હજાર મહિલાઓ પર થયેલ એક સ્ટડી અનુસાર રોજ પેનકિલર્સનું સેવન મહિલાઓમાં કાન સાથે જોડાયેલ સમસ્યાઓ પેદા કરી શકે છે.
પેનકિલર્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક
કાનની સમસ્યાઓ પેદા કરી શકે છે
અમેરિકાની એક સ્ટડીનો દાવો
ડોક્ટરની સલાહ લીધા વગર અંધાધુંધ પેનકિલર્સ લેવી આપણા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઇ શકે છે. 70 હજાર મહિલાઓ પર થયેલ એક નાનકડી સ્ટડી અનુસાર, રોજ પેનકિલર્સનું સેવન મહિલાઓમાં કાન સાથે જોડાયેલ સમસ્યાઓ પેદા કરી શકે છે.
બોડી પેન એટલે કે શરીરમાં દુખાવાની સમસ્યાથી રાહત મેળવવા માટે મોટેભાગે લોકોને પેનકિલર્સ લેવાની સલાહ આપવામાં આવે છે. શું તમે જાણો છો કે ડોક્ટરની સલાહ વગર અંધાધુંધ પેનકિલર્સ લેવું આપણા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઇ શકે છે. 70 હજાર મહિલાઓ પર થયેલ એક સ્ટડી અનુસાર, રોજ પેનકિલર્સનું સેવન મહિલાઓમાં કાન સાથે જોડાયેલ સમસ્યાઓ પેદા કરી શકે છે.
અમેરિકામાં બર્મિઘમ એંડ વુમેન્સ હોસ્પિટલના શોધકર્તાઓન દ્વવારા કંડકટ સ્ટડીમાં સામે આવ્યું છે કે પેનકિલર્સનો અંધાધુંધ ઉપયોગ કરવાવળી મહિલાઓમાં ટીનીટસની સંભાવના સામાન્યની તુલનામાં 20 ટકા વધારે હોય છે. સ્ટડીના પ્રમુખ લેખક ડૉ. શેરોન કરહનએ કયું કે મારી સ્ટડી જણાવે છે કે દર્દનાશક દવાઓનો ઉપયોગ કરવાવાળા લોકોમાં ટીનીટસનો ખતરો વધારે હોય છે. આ સ્ટડી જર્નલ ઓફ ઇન્ટરનલ મેડીસીનમાં પ્રકાશિત થઇ છે.
આમાં એડવિલ તથા ટાયલેનોલ જેવી પેનકિલર્સ સિવાય NSAIDs તથા Aleve જેવા એંટી-ઇન્ફ્લેમેટરી ડ્રગ્સના નામ પણ જણાવ્યા છે. સ્ટડી અનુસાર, અઠવાડિયામાં છ કે સાત વાર એસ્પિરિનના ડોઝ લેવાથી પણ ટીનીટસનો જોખમ 20 ટકા વધી શકે છે. એક્સપર્ટસ કહે છે કે એ જાણવું મહત્વપૂર્ણ છે કે દુખાવામાં રાહત આપવાવળી દવાઓને અવોઇડ કરવાથી ટીનીટસના લક્ષણો ઓછા થાય છે કે નહિ.
કાન સાથે સંબંધિત ટીનીટસની સમસ્યાને કોઈ એક વિશેષ સાઉન્ડ સાથે ન જોડી શકાય. કાનમાં રીન્ગીંગ, બજીંગ, હમિંગ, થ્રોબીંગ કે વિભિન્ન પ્રકારના અવાજોનું ગુંજવું ટીનીટસ કહેવાય છે. કાનમાં આવા અવાજોનું સતત ગુંજવું જરૂરી નથી. આ વચ્ચે વચ્ચે રોકાઈને પણ ગુંજી શકે છે. જીવનના કોઈ એક ખાસ સ્ટેજ પર ટીનીટસ લોકોને અકળાવી શકે છે.